નવી દિલ્હી: અદાણી-હિંડનબર્ગ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટીની રચનાના આદેશ આપ્યા છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કરશે. આટલુ જ નહી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે SEBI આ ઘટનામાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં પોતાનો રિપોર્ટ સોપશે.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે સેબી હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયલેશન સહિત બન્ને આરોપો પર પહેલાથી જ તપાસ કરી રહી છે. એવામાં સેબીની તપાસ ચાલુ રહેશે. SEBIએ 2 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો છે.
6 સભ્યોની ટીમ તપાસ કરશે
આટલુ જ નહી સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ કેસમાં તપાસ માટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કેલ સિવાય ઓપી ભટ્ટ, જસ્ટિસ કેપી દેવદત્ત, કેવી કામત, એન નીલકેણી, સોમેશેખર સુંદરેશન સામેલ છે.
શું છે ઘટના?
અમેરિકન ફર્મ હિંડનબર્ગે તાજેતરમાં ગૌતમ અદાણીના નેતૃત્વ ધરાવતા અદાણી ગ્રુપને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરફેર અને એકાઉન્ટમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ગૌતમ અદાણીના નેતૃત્વ ધરાવતા અદાણી ગ્રુપે આરોપોને પાયા વિહોણા અને ખોટા ગણાવ્યા હતા. અદાણી ગ્રુપે દાવો કર્યો કે આ રિપોર્ટમાં જનતાને ગુમરાહ કરવામાં આવી છે.
Advertisement