નવી દિલ્હી: કોંગ્રેસની ભારત જોડો યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યુ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં નીકળેલી આ યાત્રા ઉત્તર પ્રદેશમાં પહોચી ગઇ છે. રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓ સાથે ભારત જોડો યાત્રાની શરૂઆત બાગપતથી કરી હતી. રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ પછી હવે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની પ્રશંસા કરી છે.
Advertisement
Advertisement
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે એક નવ યુવાન (કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી) આ ઠંડીમાં દેશમાં ચાલી રહ્યા છે, આ પ્રશંસનીય છે. એક 50 વર્ષના નવ યુવાન દેશને સમજી રહ્યા અને 3,000 કિમી ચાલી રહ્યા છે તો અમે તેમની પ્રશંસા જ કરીશુ, તેમણે આગળ કહ્યુ કે હું તો કહુ છુ કે તમને બધાને ભારતની પદયાત્રા કરીને ભારતનું અધ્યયન કરવુ જોઇએ.
સ્વાસ્થ્ય કારણોથી યાત્રામાં સામેલ ના થઇ શક્યા આચાર્ય- કોંગ્રેસ
આચાર્યએ પત્રમાં લખ્યુ, “તમારી ભારત જોડો યાત્રા મંગળમય હોય. તમે જે દેશ જોડવાના લક્ષ્યને લઇને ચાલી રહ્યા છો તેમાં તમને સફળતા મળે, તમે દીર્ઘાયુ અને સ્વસ્થ રહો. તમે જે દેશહિતમાં કામ કરી રહ્યા છે, તે વસ્તુ સર્વજન સુખાય સર્વજન હિતાય છે.” અયોધ્યા કોંગ્રેસના પ્રવક્તા સુનીલ કૃષ્ણ ગૌતમે કહ્યુ કે આચાર્ય પણ ભારત જોડો યાત્રામાં સામેલ થવા માંગતા હતા પરંતુ સ્વાસ્થ્યને જોતા તે અસમર્થ છે, માટે તેમણે પત્ર લખીને પોતાનું સમર્થન આપ્યુ છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરમાં પૂર્ણ થશે. રાહુલ ગાંધી શ્રીનગરમાં તિરંગો લહેરાવશે અને અહી યાત્રાનું સમાપન થશે.
Advertisement