શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ગેર ભાજપ રાજકીય દળોના ભારે વિરોધ બાદ જમ્મુ કાશ્મીર તંત્રએ તે આદેશને પરત લઇ લીધો છે જેમાં 1 વર્ષથી રહેતા લોકોને વોટર બનાવવાની વાત કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી, જમ્મુ અવની લવાસાએ જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓને ડોમિસાઇલ પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કરતો તેમનો આદેશ પાછો ખેંચી લીધો છે.
Advertisement
Advertisement
જમ્મુ જિલ્લા ચૂંટણી અધિકારી અવની લવાસાએ એક આદેશ જાહેર કર્યો હતો. આદેશમાં તે દસ્તાવેજોની યાદી આપવામાં આવી હતી તેને લઇને જમ્મુમાં રહેતા લોકો પોતાની નાગરિકતા સાબિત કરી મતદાતા બની શકે છે. આદેશમાં તે લોકોનો પણ ઉલ્લેખ હતો જે લોકો પાસે તેમાથી કોઇ કાગળ નથી, જમ્મુ કાશ્મીરના ભાજપને છોડીને તમામ રાજકીય દળ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા.
જોકે, બુધવારની મોડી રાત્રે આદેશને પરત લેવાનો કોઇ કારણ જણાવ્યુ નથી પરંતુ એવુ લાગે છે કે બુધવારે ભાજપને છોડીને રાજકીય દળોના વ્યાપક વિરોધ બાદ આવુ કરવામાં આવ્યુ છે.
જમ્મુ કાશ્મીર ભાજપ પ્રદેશ અધ્યક્ષે બંધારણની જોગવાઇનો હવાલો આપ્યો
ભાજપ જમ્મુ કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ રવિંદર રૈનાએ કહ્યુ કે લવાસાએ પોતાનો આદેશ પરત લઇ લીધો છે પરંતુ ભારતનું બંધારણ છે અને તેની જોગવાઇ અનુસાર, કોઇને પણ કોઇ વિશેષ સ્થાન પર મતદારના રૂપમાં રજિસ્ટ્રેશન થતા કોઇ રોકી શકતુ નથી.
રૈનાએ દેશના કાયદાને સર્વોચ્ચ જણાવતા કહ્યુ કે જનપ્રતિનિધિત્વ કાયદા, 1951ની જોગવાઇ અનુસાર, જો કોઇ પણ લાંબા સમયથી એક સ્થળ પર રહી રહ્યો છે, તે પોતાનો મત પોતાના જન્મસ્થળથી રહેવાના સ્થાન પર સ્થળાંતરિક કરવાનો હકદાર છે. ભાજપના નેતાએ કહ્યુ કે તેમાં કઇ પણ ખોટુ નથી અને અહી સુધી કે બંધારણ પણ પોતાની પસંદના સ્થાન પર મતદાતાના રૂપમાં નોમિનેશન હોવાનો અધિકાર આપે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં 15, પંજાબમાં 50 વર્ષની સત્તા ઉખાડી હવે તમે ગુજરાતની 27 વર્ષ જૂની સરકારને ઉખાડી ફેંકો: રાઘવ ચઢ્ઢા
મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત દસ્તાવેજના અભાવમાં પાત્ર મતદાતાઓને મતદાતાના રૂપમાં રજિસ્ટ્રેશન થવામાં આવનારી કઠિનાઇનો ઉલ્લેખ કરતા લવાસાએ મંગળવારે તમામ તાલુકા વિકાસ અધિકારીઓના રહેનારા વ્યક્તિ (વ્યક્તિઓ)ને જરૂરી ક્ષેત્ર સત્યાપન કર્યા બાદ રહેઠાણ પ્રમાણ પત્ર જાહેર કરવા માટે રજિસ્ટર કર્યા હતા.
જોકે, ભાજપને છોડીને તમામ રાજકીય દળોએ જમ્મુના ડેપ્યુટી કમિશનરના આદેશનો વિરોધ કર્યો હતો.
Advertisement