ભારતનું વિશાળ માર્કેટ કેપ્ચર કરવા હવે એપલે કમર કસી છે અને તેનો સંકેત તેનો સંકેત એપલ સીઈઓ ટીમ કૂકના એક નિવેદનથી ભારતવાસીઓને મળી ગયો છે. આખી રાત લાઈનો લાગ્યા બાદ એપલના સીઈઓ ટીમ કૂકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી અને ટિમ કૂકે ભારત યાત્રામાં મળેલા અદ્દભૂત સત્કાર બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો.
Advertisement
Advertisement
તેમણે જણાવ્યું હતું કે એપલ ભારતભરમાં વિસ્તરણ કરી રહ્યુ છે અને તે તમામ રીતે કટિબદ્ધ છે. અમને વડાપ્રધાન મોદીએ આવકાર્યા એ અમારું સદ્દભાગ્ય છે. પોઝીટીવ ઈમ્પેક્ટ ટેકનોલોજીનું તમારુ વિઝન અમે શેર કરી રહયા છીએ અને શિક્ષણથી માંડીને મેન્યુફેક્ચરીંગ અને પર્યાવરણ સુધીના સેક્ટરોમાં ભારતનું સપનું સાકાર કરવા માગીએ છીએ.
ઉલ્લેખનીય છે મુંબઈમાં 18 એપ્રિલે 2023ના દિવસે દેશનો પહેલો એપલનો સ્ટોર શરુ થયો છે જેનું ઉદ્ધાટન કરવા માટે ટીમ કૂક ભારત આવ્યાં છે. એપલના જણાવ્યા અનુસાર 20 એપ્રિલે દિલ્હીમાં એપલનો સ્ટોર શરુ થશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એપલ ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને આ અઠવાડિયે કંપની દેશમાં પોતાનો પ્રથમ એપલ સ્ટોર શરૂ થવાની સાથે મોટા વિસ્તરણ તરફ આગળ વધી રહી છે.” ટિમ કૂકે પોતે ટ્વીટ કર્યું હતું કે તેઓ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નવા એપલ સ્ટોર પર ગ્રાહકોને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Advertisement