નવી દિલ્હી: Pulwama Attack 4th Anniversary: 14 ફેબ્રુઆરીના દિવસે ચાર વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હમલો (Pulwama Attack) થયો હતો. બપોરે 3 વાગ્યે જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના કાફલામાં વિસ્ફોટક લઇને જઇ રહેલા એક વાહનને ટક્કર મારી હતી. આ હુમલામા 40 જવાન શહીદ થયા હતા.
Advertisement
Advertisement
પુલવામા હુલમાની ચોથી વર્ષી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને યાદ કર્યા હતા, તેમણે કહ્યુ, “અમે પોતાના વીર જવાનોને યાદ કરીએ છીએ, જેમણે આપણે આ દિવસે પુલવામામાં ગુમાવી દીધા હતા. અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલી નથી શકતા, તેમનું સાહસ આપણને એક મજબૂત અને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે.”
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કહ્યુ, “આજે આપણે તે 40 CRPF શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જે પુલવામામાં ગુપ્તચર નિષ્ફળતાને કારણે શહીદ થયા હતા. મને આશા છે કે તમામ શહીદ પરિવારોને ઉપયુક્ત રીતે પુનર્વાસ કરવામાં આવ્યા છે.” કોંગ્રેસના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. કોંગ્રેસનું કહેવુ છે કે પુલવામા આતંકી હમલામાં દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોને નમન. આજે અમે ભારત માતાના વીર સપૂતોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ.”
Today we pay homage to the 40 CRPF Martyrs who died because of the blatant Intelligence Failure in Pulwama.
I hope all the Martyred Families have been suitably rehabilitated.— digvijaya singh (@digvijaya_28) February 14, 2023
રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ
ભાજપના તમામ કાર્યકર્તા અને નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ, ‘પુલવામા આતંકી હુમલાના વીર શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ, તેમનું સર્વોચ્ચ બલિદાન ભારત હંમેશા યાદ રાખશે.”
पुलवामा आतंकी हमले के वीर शहीदों को भावपूर्ण श्रद्धांजलि।
उनका सर्वोच्च बलिदान भारत हमेशा याद करेगा। pic.twitter.com/a39Gpzuq2u
— Rahul Gandhi (@RahulGandhi) February 14, 2023
આ સાથે જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પુલવામા આતંકી હુમલાના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે કહ્યુ કે આ સર્વોચ્ચ બલિદાન માટે આપણે બધા તેમના ઋણી રહીશું. જય હિન્દ, જય ભારત.
पुलवामा आतंकी हमले के वीर शहीदों को मेरी भावपूर्ण श्रद्धांजलि।
इस सर्वोच्च बलिदान के लिए हम सब सदैव उनके ऋणी रहेंगे।
जय हिन्द। जय भारत।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 14, 2023
Advertisement