નવી દિલ્હી: હેટ સ્પીચને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ કોર્ટની જવાબદારી છે કે તે આવી રીતની બાબતોમાં હસ્તક્ષેપ કરે. હેટ સ્પીચ પર સુપ્રીમ કોર્ટે સરકારોને કહ્યું કે, કાર્યવાહી કરો અથવા અવમાનના માટે તૈયાર રહો. સુપ્રીમ કોર્ટે દિલ્હી, યૂપી અને ઉત્તરાખંડની પોલીસને નોટિર જારી કરી છે. કોર્ટે પૂછ્યું છે કે, હેટ સ્પીચમાં સંકળાયેલા લોકો વિરૂદ્ધ શું કાર્યવાહી કરી.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટે આજે પોતાના આદેશમાં કહ્યું કે, હેટ સ્પીચને લઈને આરોપ ખુબ જ ગંભીર છે. ભારતનું બંધારણ આપણને એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્રના રૂપમાં પરિકલ્પના કરે છે. દેશમાં દ્વેષપૂર્ણ ભાષણો અંગે IPCમાં યોગ્ય જોગવાઈઓ હોવા છતાં નિષ્ક્રિયતા દેખવા મળી રહી છે. આપણે માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવું પડશે. જો કોઈ ફરિયાદ ન હોય તો પણ પોલીસ સ્વત:સંજ્ઞાન લઈને કાર્યવાહી કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો બેદરકારી થઇ તો અધિકારીઓ પર અવમાનના કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ આપનારાઓ વિરૂદ્ધ તત્કાલ કાર્યવાહીની જરૂરત હોવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધર્મની ચિંતા કર્યા વગર કાર્યવાહી કરવામાં આવે. નફરતનો માહોલ દેસ પર હાવી થઇ ગયું છે. આપવામાં આવી રહેલા નિવેદન ડરનો માહોલ ઉભા કરે (વિચલિત કરનાર, ચિંતાજનક) તેવા છે. આવા નિવેદનોને સહન કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચે કહ્યું કે, 21મી સદીમાં શું થઇ રહ્યું છે? ધર્મના નામ પર આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આપણે ઇશ્વરને કેટલા નાના બનાવી દીધા છે. તેમને કહ્યું કે, ભારતનું બંધારણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવાની વાત કરે છે.
અસલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા “ભારતમાં મુસ્લિમ સમુદાયને નિશાના બનાવવા અને ભયભીત કરવાના વધતા ખતરાને” રોકવા માટે તત્કાલ હસ્તક્ષેપની માંગ કરનારી એક અરજી પર સુનાવણી કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન અરજીકર્તા તરફથી કપિલ સિબ્બલે કહ્યું, આપણે આ કોર્ટમાં આવવું જોઈએ નહીં કેમ કે અમે અનેક ફરિયાદો નોંધાવી છે. અદાલત અથવા પ્રશાન ક્યારેય કાર્યવાહી કરતું નથી. હંમેશા સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવે છે. આ લોકો પ્રતિદિવસ કાર્યક્રમોમાં હિસ્સો લઈ રહ્યાં છે.
બેન્ચે પૂછ્યું- તમે પોતે કાયદા મંત્રી હતા? શું ત્યારે કંઈ કરવામાં આવ્યું? તે ઉપરાંત કોર્ટે કહ્યું કે, નવી ફરિયાદ શું છે? તો કપિલ સિબ્બલ દ્વારા બીજેપી સાંસદ પ્રવેશ વર્માના ભાષણનો હવાલો આપવામાં આવ્યો. તે ભાજપના એક નેતા દ્વારા કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમોની દુકાનેથી ખરીદી કરો નહીં, નોકરી આપો નહીં. પ્રશાસન કંઈ કરતું નથી, તેથી અમે કોર્ટ આવીએ છીએ.
બેન્ચે પૂછ્યું, ભાષણમાં કહેવામાં આવ્યું- જો જરૂરત પડી તો અમે તેમનું ગળું કાપી નાંખીશું… સિબ્બલે કહ્યું, હાં તે અને ટીમ.. તે પાર્ટીના સાંસદ છે. સિબ્બલે કોર્ટને અન્ય ઘટનાઓની પણ જાણકારી આપી. કહ્યું, અમે શું કરીએ. મૌન રહેવું જ કોઈ જવાબ નથી, અમારી તરફથી નહીં, અદાલત તરફથી નહીં. આપણે તે સુનિશ્ચિત કરવા માટે એક SITની આવશ્યકતા છે કે આ દોહરાવવામાં આવે નહીં.
બેન્ચે કહ્યું- શું મુસલમાન પણ હેટ સ્પીચ આપી રહ્યાં છે? સિબ્બલે કહ્યું, નહીં, અને જો તેઓ આવું કરે છે તો સમાન રૂપે તેમને પણ હેટ સ્પીચ આપવી જોઈએ નહીં. બેન્ચે કહ્યું, આ 21મી સદી છે, આપણે ધર્મના નામે ક્યાં પહોંચી ગયા ?
જસ્ટિસ ઋષિકેશ રોયે કહ્યું, આ નિવેદન ખુબ જ હેરાન કરનાર છે. એક દેશ જે લોકશાહી અને ધર્મ તટસ્થ છે. તમે કહી રહ્યાં છો કે IPCમાં કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આ ફરિયાદ એક સમુદાયના વિરૂદ્ધ છે. કોર્ટે તેવી રીતે જોવું જોઈએ નહીં. સિબ્બલે કહ્યું, આ આયોજનોમાં પોલીસ અધિકારી પણ હોતા નથી. નવ ઓક્ટોબરે હેટ સ્પીચ આપવામાં આવી.
હેટ સ્પીચ પર સુપ્રીમ કોર્ટે મોટી ટીપ્પણી કરી. કોર્ટે કહ્યું કે એક ધર્મનિરપેક્ષ દેશ માટે તે સમય અત્યંચ ચૌંકાવનાર છે. કોઈ સમુદાય વિરૂદ્ધ આવા નિવેદન દેખાઇ રહ્યાં છે. અદાલતના રૂપમાં આવી સ્થિતિ પહેલા ક્યારેય દેખી નથી. વકીલ કપિલ સિબ્બલે કહ્યું- ભાજપા સાંસદ પ્રવેશ વર્મા મુસ્લિમોને બોયકોટ કરવાનીવાત કરી રહ્યાં છે. પોલીસ આવી રીતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસને જણાવવાનું છે કે પ્રવેશ વર્મા વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે?
મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ હેટ સ્પીચ આપનારા રાજકીય નેતાઓ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટથી UAPA હેઠળ કાર્યવાહીની અરજી દાખલ કરી હતી. અસલમાં શાહીન અબ્દુલ્લાહ નામની અરજીકર્તાએ મુસલમાનો વિરૂદ્ધ ધૃણાસ્પદ ટીપ્પણી કરનારાઓ વિરૂદ્ધ UAPA હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરતાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તે ઉપરાંત અરજીમાં મુસલમાનો વિરૂદ્ધ ધૃણા ફેલાવવાના કેસમાં સ્વતંત્ર તપાસની માંગ પણ કરી છે.
Advertisement