નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીની હત્યા કેસમાં જેલમાં બંધ તમામ 6 દોષીઓને છોડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધુ કે જો આ દોષીઓ પર કોઇ અન્ય કેસ નથી તો તેમણે છોડવામાં આવશે.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યુ કે લાંબા સમયથી રાજ્યપાલે તેની પર પગલા ના ભર્યા તો અમે ભરી રહ્યા છીએ. કોર્ટે કહ્યુ કે આ કેસમાં દોષી પેરારિવલનને છોડવાનો આદેશ બાકી દોષીઓ પર પણ લાગુ થશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ વર્ષે મેમાં પેરારિવલનને છોડવાનો આદેશ આપ્યો હતો.
આ 6 ગુનેગાર જેલમાંથી બહાર આવશે
રાજીવ ગાંધી હત્યાકાંડમાં નલિની, રવિચંદ્રન, મુરૂગન, સંથન, જયકુમાર અને રૉબર્ટ પૉયસને છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. પેરારિવલન પહેલા જ આ કેસમાં છુટી ચુક્યા છે.
સુપ્રીમ કોર્ટે 18 મેએ જેલમાં સારા વ્યવહારને કારણે પેરારિવલનને છોડવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ એલ નાગેશ્વરની બેંચે આર્ટિકલ 142નો ઉપયોગ કરીને આ આદેશ આપ્યો હતો.
31 વર્ષ પહેલા રાજીવ ગાંધીની થઇ હતી હત્યા
21 મે 1991માં એક ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડુમાં એક આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પેરારિવલન સહિત 7 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. ટાડા કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પેરારિવલનને મોતની સજા સંભળાવી હતી. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે દયા અરજીમાં મોડુ કરતા ફાંસીની સજા આજીવન કેદમાં બદલાઇ હતી.
Advertisement