નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આસામ, યૂપી પોલીસને કોંગ્રેસ નેતા પવન ખેડાની FIRને એક સાથે કરવાની અરજી પર નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણીની આગામી તારીખ સુધી અરજી કરનારને દ્વારકા કોર્ટમાં વચગાળાના જામીન પર છોડવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે દ્વારકા કોર્ટને ખેડાને વચગાળાની રાહત આપવાનો આદેશ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી કોંગ્રેસના નેતા પવન ખેડાની પીએમ મોદીના પિતા પર વિવાદિત ટિપ્પણીને લઇને ધરપકડ કરી હતી.
Advertisement
Advertisement
શું થયુ સુપ્રીમ કોર્ટમાં?
પોલીસ કોંગ્રેસ નેતા પવન ખેડાને ટ્રાંજિટ રિમાન્ડ પર આસામ લઇ જવાની તૈયારીમાં હતી. આ ઘટના સુપ્રીમ કોર્ટ પહોચી હતી જેની પર 3 વાગ્યે સુનાવણી યોજાઇ હતી. કોંગ્રેસ નેતા તરફથી વકીલ અભિષેક મનુ સિંધવીએ તેમણો પક્ષ રાખ્યો હતો. આસામ પોલીસે પવન ખેડાની અરજીનો વિરોધ કર્યો હતો, તેમની તરફથી કહેવામાં આવ્યુ કે નિવેદન ખોટી રીતે આપવામાં નથી આવ્યું. વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યુ કે નિવેદન અજાણતા આપવામાં આવ્યુ હતુ. આ સ્લિપ ઓફ ટંગ છે, તેમણે કહ્યુ કે પવન ખેડાની ધરપકડ પર રોક લાગે.
શું થયુ?
- સુપ્રીમ કોર્ટમાં વીડિયો બતાવવામાં આવ્યો.
- કોંગ્રેસ નેતા પવન ખેડાનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો.
- પવન ખેડાના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે તેમના સાક્ષીએ વડાપ્રધાન પર પોતાની ટિપ્પણી માટે માફી માંગી છે અને તેમની પર લગાવવામાં આવેલા આરોપમાં ધરપકડ જરૂરી નથી.
પવન ખેડાએ કરી હતી વિવાદિત ટિપ્પણી
પવન ખેડાએ 17 ફેબ્રુઆરીએ પીએમ મોદીના પિતા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. પવન ખેડાએ કહ્યુ હતુ કે હિંડનબર્ગ-અદાણી મુદ્દા પર જેપીસીની રચના કરવામાં નરેન્દ્ર ગૌતમદાસ મોદીને સમસ્યા શું છે. પછી તેમમે કહ્યુ કે માફ કરો..નરેન્દ્ર દામોદરદાસ મોદી..પવન ખેડાએ ટ્વીટ કરીને કહ્યુ કે તે ભ્રમિત થઇ ગયા હતા પરંતુ સાથે જ કહ્યુ કે નામ દામોદરદાસ છે પરંતુ કર્મ ગૌતમદાસના છે. આ ટિપ્પણીને લઇને પવન ખેડા વિરૂદ્દ વારાણસી અને લખનઉંમાં કેસ દાખલ થઇ ચુક્યો છે.
કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો
આ ઘટના વિરૂદ્ધ કોંગ્રેસના કેટલાક નેતા એરપોર્ટ પર જ ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસ નેતાઓએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નારેબાજી પણ કરી હતી.
મહત્વપૂર્ણ છે કે જે સમયે પવન ખેડાને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા, ત્યારે તેમની સાથે રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ સિવાય કેટલાક નેતા હાજર હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે મોદી સરકાર અમારા રાષ્ટ્રીય અધિવેશનને રોકવા માંગે છે. અમે ડરવાના નથી, દેશવાસીઓ માટે સંઘર્ષ કરતા રહીશું.
Advertisement