સુદાનમાં લશ્કરી જૂથો વચ્ચેનો પરસ્પર સંઘર્ષ હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે. ઘણી જગ્યાએથી હિંસાના અહેવાલો છે.
Advertisement
Advertisement
સંઘર્ષનું કેન્દ્ર ખાર્તુમ શહેરની શેરીઓ નિર્જન દેખાઇ રહી છે. રવિવારે બંને જૂથોએ અહીંના મુખ્ય માર્ગો બંધ કરી દીધા હતા.
આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે.
રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) અને સેના વચ્ચેનો સંઘર્ષ હવે લગભગ દેશવ્યાપી બની ગયો છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ સંઘર્ષમાં આગામી દિવસોમાં સેનાને સફળતા મળી શકે છે.
જોકે રવિવારે આરએસએફએ રાજધાની ખાર્તુમ અને પડોશી શહેર ઓમદુરમન તેમજ પશ્ચિમમાં ડાર્ફુર અને મિરોયે એરપોર્ટ પર નિયંત્રણનો દાવો કર્યો હતો.
રવિવારે થોડા સમય માટે બંને જૂથોએ થોડા સમય માટે યુદ્ધવિરામ જાહેર કર્યો હતો જેથી ઘાયલોને સંઘર્ષ સ્થળ પરથી દૂર કરી શકાય. તેમ છતાં તેનું ચુસ્તપણે પાલન થતું ન હતું.
સુદાનમાં આ સંઘર્ષો હરીફ જૂથોએ રાજકીય સર્વોપરિતા સ્થાપિત કરવાનું પરિણામ છે. દેશના લશ્કરી નેતૃત્વમાં સર્વોચ્ચતા માટેની લડાઈએ સંઘર્ષને જટિલ બનાવી દીધો છે.
Advertisement