બેઇજિંગ: સોશિયલ મીડિયા પર અફવા ચાલી રહી છે કે ચીનના રાષ્ટ્રપતિને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં જ્યારે શી જિનપિંગ ઉજબેકિસ્તાનના સમરકંદ એસસીઓ સમિટમાં હતા ત્યારે સેનાના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. જોકે, અત્યાર સુધી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી અને ના તો સરકારી મીડિયાએ તેનું ખંડન કર્યુ છે.
Advertisement
Advertisement
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #Xijinping હેશટેગ પર હજારોની સંખ્યામાં ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ બાદ આ સવાલ ઝડપથી ઉઠી રહ્યો છે. જોકે, તેમણે એક અન્ય ટ્વીટમાં લખ્યુ છે કે આ અફવાની તપાસ થવી જોઇએ કે શી જિનપિંગ બેઇજિંગમાં નજરકેદ છે.
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યુ ટ્વીટ
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યુ, “ચીનને લઇને એક નવી અફવા છે, જેની તપાસ કરવામાં આવશે. શું શી જિનપિંગ નજરકેદ છે? માનવામાં આવી રહ્યુ છે કે જ્યારે જિનપિંગ તાજેતરમાં સમરકંદમાં હતા, ત્યારે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ સેનાના અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા, તે બાદ અફવા છે કે તેમણે હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે.” આ ટ્વીટ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે.
New rumour to be checked out: Is Xi jingping under house arrest in Beijing ? When Xi was in Samarkand recently, the leaders of the Chinese Communist Party were supposed to have removed Xi from the Party’s in-charge of Army. Then House arrest followed. So goes the rumour.
— Subramanian Swamy (@Swamy39) September 24, 2022
ચીનના સોશિયલ મીડિયા યૂઝર્સનો પણ દાવો
ચીનના કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જિનપિંગને હાઉસ એરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PMA)એ શી જિનપિંગને રાષ્ટ્રપતિ પદથી હટાવી દેવામાં આવ્યા છે અને સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે. કહેવામાં આવી રહ્યુ છે કે લી કિયાઓમિંગ ચીનના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે.
#PLA military vehicles heading to #Beijing on Sep 22. Starting from Huanlai County near Beijing & ending in Zhangjiakou City, Hebei Province, entire procession as long as 80 KM. Meanwhile, rumor has it that #XiJinping was under arrest after #CCP seniors removed him as head of PLA pic.twitter.com/hODcknQMhE
— Jennifer Zeng 曾錚 (@jenniferatntd) September 23, 2022
ચીનના રાષ્ટ્રપતિને લઇને કેમ ઉડી અફવા?
ચીનમાં બે અઠવાડિયામાં બે પૂર્વ મંત્રીને મોત અને ચાર અધિકારીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ એક રાજકીય જૂથનો ભાગ હતા. આ સમયે કોમ્યુનિસ્ટ પાર્ટીનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ અધિકારી અને પૂર્વ મંત્રી જિનપિંગના વિરોધી હતા. એવુ માનવામાં આવી રહ્યુ છે કે જિનપિંગ વિરોધી જૂથ તરફથી આ અફવા ફેલાવવામાં આવી છે.
SCO સમિટમાં સામેલ થયા હતા જિનપિંગ
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ 22માં શાંઘાઇ સહયોગ સંગઠનમાં સામેલ થવા માટે ઉજબેકિસ્તાનના તાશકંદ પહોચ્યા હતા. SCOની આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ થયા હતા. આ બેઠકમાં આગામી 23મી એસસીઓની યજમાની ભારતને સોપવામાં આવી છે, તેની માટે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અને રાષ્ટ્રપતિ પુતિને ભારતને શુભેચ્છા પાઠવી હતી.
Advertisement