કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. બંગાળના માલદામાં વંદે ભારત ટ્રેન પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો છે. આ ઘટનામાં ટ્રેનનો કાચ તૂટી ગયો હતો.
Advertisement
Advertisement
4 દિવસ પહેલા પીએમ મોદીએ લીલી ઝંડી આપી હતી
પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વી ભારતને ચાર દિવસ પહેલા વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. પોતાની માતા હીરાબાની અંતિમ વિધિ બાદ પીએમ મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
પથ્થરમારાને કારણે ટ્રેનનો કાચ તૂટી ગયો હતો. ટ્રેનની ખુરશી પર કાચ જોવા મળ્યા હતા. આ પૂર્વી ભારતને મળેલી પ્રથમ વંદે ભારત ટ્રેન હતી. પથ્થરમારો થયા બાદ માલદા સ્ટેશન પર ટીમ ટ્રેનની તપાસ કરવા પહોચી હતી.
Advertisement