નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલની હત્યા થઇ શકે છે. સિસોદિયાનું કહેવુ છે કે એમસીડી અને ગુજરાતમાં હારના ડરથી ભાજપ ષડયંત્ર રચી રહ્યુ છે. સિસોદિયાએ ભાજપ સાંસદ મનોજ તિવારીનું નામ પણ લીધુ હતુ અને તેમની પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.
Advertisement
Advertisement
સિસોદિયાએ આરોપ લગાવ્યો કે દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ અને નૉર્થ ઇસ્ટ દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ પોતાના ગુંડાને કેજરીવાલ પર હુમલો કરવા કહ્યુ છે અને તેની માટે પુરી પ્લાનિંગ કરવામાં આવી છે. સિસોદિયાએ ટ્વીટ કર્યુ, “ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં
હારના ડરથી ડરેલી ભાજપ અરવિંદ કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહી છે, તેમના સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ પોતાના ગુંડાઓને અરવિંદજી પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેની પુરી પ્લાનિંગ કરી લેવામાં આવી છે. આમ આદમી પાર્ટી આ ટુચ્ચી રાજનીતિથી નથી ડરતી, તેમની ગુંડાગર્દીનો જવાબ હવે જનતા આપશે.”
સિસોદિયાનું ટ્વીટ મનોજ તિવારીના તે ટ્વીટના જવાબમાં આવ્યુ છે જે ગુજરાતમાં પ્રચાર દરમિયાન કર્યુ હતુ, તેમણે કહ્યુ કે ટિકિટોના વેચાણ અને સત્યેન્દ્ર જૈનનો મસાજ લેતો વીડિયો સામે આવ્યા બાદ આપ કાર્યકર્તાઓમાં જેટલો આક્રોશ છે, તેને જોતા દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે.
મનોજ તિવારીએ લખ્યુ, “અરવિંદ કેજરીવાલજીની સુરક્ષાને લઇને હું ચિતિંત છુ, કારણ કે સતત ભ્રષ્ટાચાર, ટિકિટ વેચાણ અને તે જેલમાં બળાત્કારી મિત્ર અને મસાજ પ્રકરણને લઇને AAP કાર્યકર્તા અને જનતા ગુસ્સામાં છે, તેમના ધારાસભ્યને મારવામાં આવ્યા છે, માટે દિલ્હીના મુખ્યમંત્રી સાથે આવુ ના થાય. સજા ન્યાયાલય જ છે.”
Advertisement