કેન્દ્ર સરકારે સોમવારે (27 માર્ચ, 2023) કહ્યું કે ત્રણેય સશસ્ત્ર દળોમાં લગભગ 1.55 લાખ પદો ખાલી છે, જેમાંથી સૌથી વધુ પદો આર્મીમાં છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે એક લેખિત જવાબમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોમાં પદોની અછત અને તેના પગલાંની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે. તેમણે માહિતી આપી હતી કે ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને યુવાનોને સેવાઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. ભારતીય સેનામાં સૌથી વધુ 1.36 લાખ જગ્યાઓ ખાલી છે.
Advertisement
Advertisement
ભટ્ટે કહ્યું કે ભારતીય સેનામાં આર્મી મેડિકલ કોર્પ્સ અને આર્મી ડેન્ટલ કોર્પ્સના અધિકારીઓ સહિત 8,129 અધિકારીઓની અછત છે. તેમના જણાવ્યા અનુસાર, મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)માં 509 જગ્યાઓ ખાલી છે અને JCO અને અન્ય રેન્કની 1,27,673 જગ્યાઓ પણ ખાલી છે. નાગરિક કર્મચારીઓની ભરતીના મામલામાં ગ્રુપ-એમાં 252 જગ્યાઓ ખાલી છે, જ્યારે ગ્રુપ-બી અને ગ્રુપ-સીમાં અનુક્રમે 2,549 અને 35,368 જગ્યાઓ ખાલી છે.
તેમણે માહિતી આપી હતી કે નેવીમાં 12,428 જવાનોની અછત છે. મંત્રીએ તેના જવાબમાં એમ પણ કહ્યું કે નૌકાદળમાં 1,653 અધિકારીઓ, 29 મેડિકલ અને ડેન્ટલ મેડિકલ ઓફિસર અને 10,746 નાવિકોની કમી છે. નાગરિક કર્મચારીઓમાં ગ્રુપ-એમાં 165, ગ્રુપ-બીમાં 4207 અને ગ્રુપ-સીમાં 6156 કર્મચારીઓની ઘટ છે.
Advertisement