નવી દિલ્હી: દેશના અનેક વિસ્તારોમાં સતત થઇ રહેલા ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી એનીઆરથી લઈને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સુધી વરસાદના કારણે હાલત ખરાબ થઇ ગયા છે.
Advertisement
Advertisement
ધોધમાર વરસાદના કારણે નોઇડા, ગાજિયાબાદ, લખનઉ અને આગ્રા સહિત યૂપીના 15થી વધારે જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સરકારી આદેશ અનુસાર, સોમવારે બધી જ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ બંધ રહેશે.
ગાજિયાબાદ પ્રશાસન તરફથી જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, સીબીએસઇ, આઈસીએસઈ, મદરસા એજ્યુકેશન બોર્ડ અને સંસ્કૃતિ શાળા પણ સોમવારે બંધ રહેશે.
હવામાન વિભાગ અનુસાર દેશના અનેક હિસ્સાઓમાં સોમવારે ભારે વરસાદ અને ઝડપી ગતિએ પવન ફૂકાશે. વરસાદ અને ઝડપી પવન ફૂકાવાનું 12 ઓક્ટોબર સુધી ચાલું રહેશે.
All schools across Noida and Greater Noida in Gautam Buddh Nagar will stay close on Monday on account of excessive rainfall: Official order
— Press Trust of India (@PTI_News) October 9, 2022
જોકે, સોમવાર પછી દિલ્હીમાં વરસાદ ઓછો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દેશના અનેક રાજ્યોમાં પાછલા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાઓની સ્થિતિ કફોડી થઈ ચૂકી છે અને પુરની શક્યતાઓ સેવાઇ રહી છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી હજારો હેક્ટર પાકને નુકશાન થયું છે તો 27 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે.
દિલ્હી એનસીઆરમાં રોડ-રસ્તાઓ ઉપર પાણી ફર્યું હોવાના કારણે અવર-જવર કરવી મુશ્કેલ બની ગઈ છે. દિલ્હીના લાહૌરી ગેટ વિસ્તારમાં એક ઈમારત જમીનદોસ્ત થઇ ગઈ છે, આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.
Advertisement