નવી દિલ્હી: તાજમહેલના અસલી ઇતિહાસને શોધવાના તર્ક સાથે રૂમ ખોલાવવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આ એક પબ્લિસિટી ઈન્ટરેસ્ટ લિટિગેશન છે. હાઈકોર્ટે આ અરજીને ફગાવીને કોઈ ભૂલ કરી નથી. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચે અરજીને ફગાવી દીધી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, વૈજ્ઞાનિક પુરાવા નથી કે શાહજહાંએ જ તાજમહેલ બનાવ્યું છે. તાજમહેલના ભોંયરાના રૂમો ખોલીને સત્ય અને હકીકત જાણવા વિનંતી કરવામાં આવી હતી. આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં ડો રજની સિંહે અરજી દાખલ કરી હતી. દાખલ અરજીમાં વિશ્વ પ્રસિદ્ધ ઈમારત તાજમહેલના ઇતિહાસને જાણવા માટે ફેક્ટ ફાઈડિંગ કમેટી બનાવવાનો આદેશ આપવાની અપીલ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
અરજીમાં કહેવામાં આવ્યું કે, અત્યાર સુધી આ વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે મૂળ રૂપથી તાજમહેલ શાહજહાંએ બનાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટે તે નિર્ણયને પડકાર ફેંક્યો છે, જેમાં ડો સિંહની અરજીને ફગાવી દેવામાં આવી છે. ડો સિંહે તાજમહેલના ભોયરાઓના રૂમના દરવાજા ખોલાવીને સત્ય અને તથ્યની શોધ કરવાની અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલના મકરબાના રૂપમાં 1631થી 1653 વચ્ચે 22 વર્ષમાં કરાવ્યું હતુ, પરંતુ તે સમયે ઇતિહાસમાં નોંધેલી માત્ર વાતો છે. આ વાતોને સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ અત્યાર સુધી સામે આવ્યા નથી.
જણાવી દઈએ કે અલ્હાબાદ હાઈકોર્ટમાં પણ તાજમહેલના 22 રૂમ ખોલવાની માંગવાળી અરજી ફગાવી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે અરજીને ફગાવતા કહ્યું કે, તમને જે ટોપિક અંગે ખ્યાલ નથી તેના પર રિસર્ચ કરો. જાઓ તે વિષય પર એમએ કરો, પીએચડી કરો. આ કવાયતમાં તમને કોઈ સંસ્થા તમને રિસર્ચ કરવા દેતી નથી તો અમારા પાસે આવજો. તે પછી અરજી ફગાવી દેવામાં આવી હતી. તે આદેશને ડો સિંહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
Advertisement