નવી દિલ્હી: મની લૉન્ડ્રિંગ કેસમાં જૂન 2022થી જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈને જેલમાં જ રહેવુ પડશે. રાઉજ એવેન્યૂની વિશેષ કોર્ટે જૈનની જામીન અરજી ફગાવી દીધી છે.
Advertisement
Advertisement
વિશેષ જજ વિકાસ ઢુલે સત્યેન્દ્ર જૈનની સાથે સાથે આરોપી વૈભવ જૈન અને અંકુશ જૈનને પણ જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. આ પહેલા 10 નવેમ્બરે કોર્ટે તમામ પક્ષને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
12 જૂનથી જેલમાં છે સત્યેન્દ્ર જૈન
ગત સુનાવણી દરમિયાન વિશેષ જજ વિકાસ ઢુલની કોર્ટે કહ્યુ હતુ કે અત્યારે આદેશ તૈયાર થયો નથી. મંત્રીની અરજી પર ગુરૂવાર બપોરે બે વાગ્યે નિર્ણય સંભળાવવામાં આવશે. મની લૉન્ડ્રિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન 12 જૂન 2022થી ન્યાયિક કસ્ટડીમાં છે, તેમણે 30 મેએ ઇડીએ પ્રીવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.
ઇડીનો આરોપ છે કે સત્યેન્દ્ર જૈને કેટલાક હવાલા ઓપરેટરોને કેસ રૂપિયા આપ્યા હતા. જ્યારે સત્યેન્દ્ર જૈન તરફથી ઇડીના આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે. આ કેસમાં બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
Advertisement