મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતને 101 દિવસ બાદ રાહત મળી છે. જેલમાંથી બહાર આવતા જ સંજય રાઉતનો સ્વર અને મિજાજ બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સંજય રાઉતે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા છે. જૂનમાં શિવસેનાના ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં બળવો કર્યો હતો. જે બાદ તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે સરકાર બનાવી હતી.
Advertisement
Advertisement
સંજય રાઉતે કહ્યું, ‘હું ઉદ્ધવ ઠાકરેને મળીશ. NCPના વડા શરદ પવારે પણ મને ફોન કર્યો છે. મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી. આપણે આવો રાજકીય બદલો આજ સુધી ક્યારેય જોયું નથી. હું આ માટે કોઈ કેન્દ્રીય એજન્સીને દોષી ઠેરવીશ નહીં. મહારાષ્ટ્રમાં નવી સરકાર બની છે. તેમના કેટલાક નિર્ણયોનું હું સ્વાગત કરું છું. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેટલાક સારા નિર્ણયો લીધા છે. અમને લાગે છે કે ડેપ્યુટી સીએમ ફડણવીસ સરકાર ચલાવી રહ્યા છે અને તેઓ રાજ્યના વડા છે.
સંજય રાઉત પીએમ મોદી અને અમિત શાહને મળશે
તેમણે વધુમાં કહ્યું, ‘હું આજે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મળીશ. બે-ચાર દિવસમાં હું સામાન્ય લોકોના કામ માટે દેવેન્દ્ર ફડણવીસને મળીશ, હું દિલ્હી પણ જઈશ. ત્યાં હું ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળીશ. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગઈકાલે સંજય રાઉત જેલમાંથી બહાર આવ્યા હતા.
રાઉતે કેન્દ્રીય એજન્સીને દોષ આપવાનો કર્યો ઇનકાર
શિવસેના (ઉદ્ધવ) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે હું ઉદ્ધવ ઠાકરેને મળીશ, એનસીપી પ્રમુખ શરદ પવારે પણ મને ફોન કર્યો છે. મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી. આપણે આવો રાજકીય બદલો ક્યારેય જોયો નથી. હું કોઈ કેન્દ્રીય એજન્સીને દોષી ઠેરવીશ નહીં.
આ પહેલા બુધવારે સંજય રાઉતે કહ્યું હતું કે, ‘હું મુક્ત થઈને ખુશ છું. અમે શરૂઆતથી જે કહી રહ્યા છીએ તે કોર્ટે કહ્યું છે. ન્યાયતંત્ર, અદાલતો અને બંધારણમાં મારો વિશ્વાસ વધ્યો છે. જોકે, અત્યારે હું થોડો અસ્વસ્થતા અનુભવું છું. સંજય રાઉતે એમ પણ કહ્યું કે તેઓ ક્યારેય શિવસેના નહીં છોડે અને અન્યાય સામે તેમનો સંઘર્ષ ચાલુ રાખશે. તેમણે સ્વીકાર્યું કે તેની માતા, પત્ની અને પુત્રીથી અલગ થવાને કારણે તેના માટે ત્રણ મહિનાથી વધુ જેલમાં રહેવું ખૂબ મુશ્કેલ હતું.
Advertisement