વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા રેલ્વે સ્ટેશન પર રેલ્વે પોલીસને બે બાળકો મળી આવ્યા હતા.તપાસ દરમિયાન એ બાળકો દિલ્હીના હોવાનુ રેલ્વે પોલીસને જાણવા મળ્યું, એમણે તુરંત નર્મદા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી બાળકોની સોંપણી કરી હતી.કાઉન્સિલીંગ દરમિયાન એક બાળક એવો ખુલાસો કરે છે કે સાહેબ મારી મમ્મી મારી પાસે ભીખ મંગાવે છે એટલે હું ઘરેથી નીકળી ગયો હતો.
Advertisement
Advertisement
આખી ઘટના એવી છે કે ગુરૂવારે રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા રેલ્વે સ્ટેશન પર બે બાળકો આમ તેમ ફરી રહ્યા હતા. રેલ્વે પોલીસે એ બંનેવ બાળકોની પૂછતાછ કરી તો બાળકોએ ફ્કત એટલું જણાવ્યું કે તેઓ દિલ્હીના છે, પોતાના ફોઈના ઘરે જતા હતા પણ ઊંઘી જવાને કારણે ટ્રેન આગળ નીકળી ગઈ અને તેઓ કેવડીયા ઉતરી ગયા.રેલ્વે પોલીસે નર્મદા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી બે બાળકોની શુક્રવારે સવારે સોંપણી કરી. ત્યાંથી એમની સોંપણી રાજપીપલા ચિલ્ડ્રન હોમને કરવામાં આવી.
નર્મદા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર જણાવે છે કે ગુરુવારે રાત્રે 12 વર્ષનો અને એક 10 વર્ષના એમ બે બાળકો દિલ્હીના નોઈડાથી ટ્રેનમાં બેસી એકતા નગર રેલ્વે સ્ટેશને ઉતર્યા હતા. જેને રેલવે પોલીસે પકડી પુછપરછ કરતા રેલ્વે પોલીસને યોગ્ય જવાબ ન મળતાં નિયમ મુજબ રેલ્વે પોલીસે બાળકોને રાજપીપળામાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોય્સ ખાતે સુપ્રત કર્યા હતા. એક બાળકે કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે એની પાસે ભીખ મંગવાય છે. જેથી અમે નોઈડા પોલસ અને બાળ સુરક્ષા કચેરીને આ બાબતે લેખીતમાં જાણ કરી બાળકોનું ધ્યાન રાખવા વિનંતી કરીશું.
ચિલ્ડ્રન હોમ રાજપીપલાના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી જણાવે છે કે ચિલ્ડ્રન હોમના સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરતા માત્ર બે જ કલાકમાં 10 વર્ષના નાના બાળકે જણાવ્યું હતું કે મારી માં અમને ભીખ માંગવા મોકલે છે અને ભીખ ન આપીએ તો મારે છે જેથી અમે ઘરેથી ભાગીને આવ્યા છે. જોકે બન્ને કાકા -કાકાના દીકરા છે એટલે મોટા 12 વર્ષના બાળકને પિતાનો મોબાઈલ નંબર ખબર હતી, એ નંબર પર સંપર્ક કરી એના પિતાને જાણ કરાતા તેઓ રાજપીપલા ખાતે દોડી આવ્યા હતા બાદમાં બંનેવ બાળકોની સોપણી કરવામાં આવી હતી.
ચિલ્ડ્રન હોમ રાજપીપલા દ્વારા નોઈડા પોલીસને પણ જાણ કરાઈ હતી અને હવે નોઈડા પોલીસ અને નોઈડા બાળ વિકાસ અધિકારી પણ આ બાળકોનું ધ્યાન રાખશે. ચાર દિવસ બાદ આજે બે ગુમ થયેલ બાળકોને તેના વાલી વારસો મળતા બાળકના વાલીએ ગુજરાત રાજ્યના તંત્રનો આભાર માન્યો હતો કે તેમના બાળકો સહી સલામત મળી ગયા છે.
Advertisement