નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ વધતા ચીન સહિત 6 દેશમાંથી આવનારા મુસાફરો પર આવતા અઠવાડિયેથી કડક પગલા ભરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હૉન્ગકૉંગ, થાઇલેન્ડ અને સિંગાપુરથી આવનારા પેસેન્જર્સ માટે 1 જાન્યુઆરી 2023થી નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ જરૂરી કરી દેવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
આ પેસેન્જર્સે યાત્રા પગેલા પોતાનો 72 કલાક જૂનો નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે. ઓફિશિયલ સુત્રોએ જણાવ્યુ કે કોરોનાની એડવાન્સ તૈયારીને લઇને મનસુખ માંડવિયા અને ફાર્મા કંપનીઓ વચ્ચે વર્ચુઅલ મીટિંગ શરૂ થઇ ગઇ છે.
ઇઝરાયલનું રિસર્ચ- કોવિડનો બૂસ્ટર ડોઝ સુરક્ષિત
ધ લાંસેટ રેસ્પિરેટ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર કોવિડ-19નો બૂસ્ટર ડોઝ પુરી રીતે સુરક્ષિત છે. ઇઝરાયલની તેલ અવીવ યૂનિવર્સિટીના શોધ કરનારાઓએ 5,000 ઇઝરાયલીઓને સ્માર્ચવૉચથી લેસ કર્યા અને બે વર્ષ તેમની બોડી પર નજર રાખી હતી જેમાંથી 2,038ને COVID-19 વેક્સીનનો બૂસ્ટર ડોઝ લાગ્યો હતો.
આ સિવાય ટીમે મેકાબી હેલ્થ સર્વિસના 2 લાખ 50 હજાર સભ્યોની મેડિકલ ફાઇલોનું અધ્યયન કરીને બૂસ્ટર ડોઝની સુરક્ષા તપાસી હતી. તેલ અવીવ યૂનિવર્સિટીના પ્રોફેસર ડેન યામિને કહ્યુ- સ્માર્ટવૉચનો ઉપયોગ હાર્ટ બીટ, હાર્ટ એક્ટિવીટમાં ડિફરન્સ, ઉંઘ, કેટલા પગલા ચાલ્યા અને અન્ય એક્ટિવિટીની નજર માટે કરવામાં આવ્યો હતો.
કોરોનાને લઇને અત્યાર સુધીના અપડેટ
- સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)એ કેન્દ્ર સરકારને કોવીશીલ્ડના બે કરોડ ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી
- એર ઇન્ડિયા એક્સપ્રેસે UAEથી આવનારા પેસેન્જર્સ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગ જરૂરી કરી દીધુ છે
Advertisement