નવી દિલ્હી: RSSના સર સંઘચાલક મોહન ભાગવતે કસ્તૂરબા ગાંધી માર્ગની મસ્જિદ પહોચીને ઇમામ ઉમેર અહમદ ઇલિયાસી (ચીફ ઇમામ) સહિત કેટલાક મુસ્લિમ ધર્મગુરૂઓ અને બુદ્ધિજીવિઓ સાથે મુલાકાત કરી હતી. મોહન ભાગવત સાથે સંઘ પ્રચારક ઇંદ્રેશ કુમાર પણ છે.
Advertisement
Advertisement
મુસ્લિમ અને ઇસાઇઓ સાથે સંવાદ વધારવાનો પ્રયાસ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરૂઓ અને બુદ્ધિજીવિઓ સાથે મુલાકાત અને વાતચીત આકસ્મિક નથી. આ સંઘની મહત્વની રણનીતિનો ભાગ છે, જેમાં તે મુસ્લિમ અને ઇસાઇઓ સાથે સંવાદ વધારવા પર ભાર આપી રહ્યા છે જેથી ધર્મ આધારિત ગેર સમજણો, અંતર અને સંદેશાવ્યવહારના અંતરને દૂર કરીને રાષ્ટ્ર નિર્માણમાં તેમની વ્યાપક ભાગીદારીને સુનિશ્ચિત કરી શકાય. સાથે જ સંગઠનની ઓળખને આંતરરાષ્ટ્રીય સ્તર પર મજબૂત કરી શકાય. સંઘનો આ પ્રયાસ ખુદના તે વિચારના દાયરામાં છે, જેમાં તે ભારતમાં રહેતા તમામ લોકોને હિન્દૂ માને છે.
મુસ્લિમ ધર્મગુરૂઓને મળ્યા સંઘ પ્રમુખ
આ નીતિને નક્કર સ્વરૂપ આપવા માટે સંગઠનની અંદર ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે અને તેની જવાબદારી સહ સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલ અને ડૉ. મનમોહન વૈદ્ય તેમજ અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામલાલ અને વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશ કુમારને સોંપવામાં આવી છે. . સંઘ તરફથી આ પ્રયાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે વિપક્ષી પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ તેમના પર સૌથી વધુ આક્રમક છે અને આરોપો લગાવવાની કોઈ તક છોડતા નથી. સંઘ પ્રમુખ સાથે મુસ્લિમ ધર્મગુરુઓ અને બૌદ્ધિકોની આવી બેઠકો અને મુલાકાતો તાજેતરના સમયમાં વધી છે.
ખાસ વાત એ છે કે સંઘનો આ નવતર પ્રયાસ 2024 સુધીમાં સંઘના કાર્યને દેશના એક લાખ સ્થળોએ લઈ જવાના લક્ષ્યની વચ્ચે પણ છે. નોંધનીય છે કે સંઘનું કાર્ય અત્યારે દેશમાં લગભગ 60 હજાર સ્થળોએ જ છે. આવી સ્થિતિમાં, સંઘનો ભાર પૂર્વોત્તરના કેટલાક રાજ્યો અને કાશ્મીર જેવા રાજ્ય પર પણ છે, જ્યાં ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયો બહુમતીમાં છે.
દેશના હિતમાં તમામ સમુદાયોને સાથે લાવવાની પહેલ
RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે મોહન ભાગવતને અખિલ ભારતીય ઈમામ સંગઠનના મુખ્ય ઈમામ ઈલ્યાસી સાહેબે ઘણા દિવસો પહેલા આમંત્રણ આપ્યું હતું. તો આરએસએસ ચીફ તેમને મળ્યા હતા. આરએસએસના સરસંઘચાલક જીવનના તમામ ક્ષેત્રના લોકોને મળે છે. તે સામાન્ય સંચાર પ્રક્રિયાનો એક ભાગ છે.
Advertisement