શ્રીનગર: પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરનારા આતંકવાદીને બે દિવસની અંદર જ સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યો છે. આતંકવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ આકિબ મુસ્તાક નામના આતંકવાદીને ઠાર માર્યો હતો. હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો આ આતંકી TRF નામના સંગઠન હેઠળ કામ કરતો હતો.
Advertisement
Advertisement
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરામાં સંયુક્ત દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સેનાના સૂત્રો અનુસાર, મંગળવાર સવારે થયેલી અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. આતંકીઓ તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બે જવાન પણ ઘાયલ થયા હતા.
સોમવારથી મંગળવાર રાત વચ્ચે કાશ્મીર પોલીસે પોલીસ અને સેનાના સંયુક્ત દળો અને અવંતીપુરામાં આતંકીઓ વચ્ચે અથડામણ અંગે જાણકારી આપી હતી. બાદમાં કાશ્મીર પોલીસે પણ એક આતંકીના ઠાર મારવાને લઇને ટ્વીટ કર્યુ હતુ. સેનાના સૂત્રો અનુસાર, ઓપરેશન હજુ પણ ચાલુ છે અને ઠાર મરાયેલા આતંકવાદીનું શબ મળ્યુ નથી.
સેનાના એક અધિકારીએ દાવો કર્યો કે ટેકનિકલ જાસુસી જાણકારીના આધાર પર આતંકવાદીઓના ઠેકાણાની ઓળખ કરવામાં આવી છે.
આતંકવાદીઓએ સંજય શર્માની હત્યા કરી હતી
26 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી વિદ્યાર્થીની હત્યા કરી હતી. એક કાશ્મીરી વિદ્યાર્થી સંજય શર્માને તેના ઘરથી 100 મીટરના અંતર પર આતંકવાદીઓએ ગોળી મારી હતી. લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ હૉસ્પિટલ લઇ જતા સમયે તેનું મોત થયુ હતુ.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ હત્યાની ટિકા કરી હતી અને કહ્યુ કે સુરક્ષાદળ ઘટના પાછળના લોકોને શોધશે અને યોગ્ય કાર્યવાહી કરશે. બે દિવસ પછી જ મંગળવાર રાત્રે સંયુક્ત દળ અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.
કાશ્મીરી પંડિત પર હુમલા વધ્યા
ગત વર્ષએ ભુસવર્ગમાં કુલ 29 આતંકવાદી હુમલામાં ત્રણ કાશ્મીરી પંડિત, રાજસ્થાનના એક બેન્ક મેનેજર અને આઠ વિદેશી નાગરિક સહિત કુલ 18 લોકો માર્યા ગયા હતા.
કાશ્મીરી પંડિતોએ લેફ્ટનન્ટ ગવર્નરને હટાવવાની કરી માંગ
કાશ્મીરી પંડિતો પર હુમલા વધતા કાશ્મીરી પંડિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને પદ પરથી હટાવવાની માંગ કરી છે. આ સાથે જ વડાપ્રધાન અને ગૃહમંત્રીને માંગ કરી છે કે કાશ્મીરી પંડિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
કાશ્મીરી પંડિતોએ કહ્યુ કે આતંકવાદી અવાર નવાર લોકોને મારી રહ્યા છે. કાશ્મીરી પંડિતોએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તુરંત આકરા પગલા માટે આદેશ આપવામાં આવે. કાશ્મીરી પંડિતોને ખતમ કરતા આતંકવાદીઓને ખતમ કરવામાં આવે. કાશ્મીર ખીણમાં પંડિતો ઉપરાંત અન્ય લઘુમતી સમાજ પણ આતંકવાદીઓના ભયનો સામનો કરી રહ્યા છે.
Advertisement