નવી દિલ્હી: ભારત 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યુ છે. કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રિરંગો લહેરાવ્યો હતો અને તેમણે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસની ઉજવણી વચ્ચે કર્તવ્ય પથથી નવા ભારતની ઝલક જોવા મળી રહી છે. પ્રજાસત્તાક દિવસની પરેડના માધ્યમથી આખી દુનિયા આજે ભારતના દમખમને ઓળખશે. આ વચ્ચે પીએમ મોદી અને અમિત શાહે દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી હતી. બીજી તરફ નેશનલ વૉર મેમોરિયલ પહોચીને પીએમ મોદીએ શહીદોને નમન કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ પ્રજાસત્તાક દિવસ સમારંભની શરૂઆત થઇ હતી.
Advertisement
Advertisement
પ્રજાસત્તાક દિવસ સમારંભની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વાગીને 5 મિનિટ પર નેશનલ વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાથી થઇ હતી, તે બાદ 10 વાગીને 22 મિનિટ પર પીએમ મોદી સેલ્યૂટિંગ ડાયસ પર પહોચ્યા હતા. 10 વાગીને 27 મિનિટ પર રાષ્ટ્રપતિ અને મુખ્ય મહેમાન સ્થળ પર પહોચ્યા હતા. જ્યા પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યુ હતુ. સવારે 10.30 મિનિટ પર સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિએ ધ્વજ ફરકાવ્યો હતો અને તે બાદ પરેડની શરૂઆત થઇ હતી. તે બાદ 21 તોપની સલામી આપવામાં આવી હતી.
Advertisement