નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટની જાહેરાત કરી છે. જેમાં રેલ્વે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે ફરી એક વખત રેલ્વે બજેટમાં વધારો કર્યો છે. નાણા મંત્રીએ જણાવ્યુ કે રેલ્વેને કુલ 2.40 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેનાથી તમામ યોજનાઓ પર કામ કરવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યુ કે અત્યાર સુધીની આ સૌથી વધુ ફાળવણી છે. વર્ષ 2013-14ના મુકાબલે રેલ્વેનું આ બજેટ લગભગ 9 ગણું વધારે છે.
Advertisement
Advertisement
નાણા મંત્રીએ જણાવ્યુ કે રેલ્વેમાં 100 નવી યોજનાઓની શરૂઆત થશે. આ સિવાય નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાઓની ઓળખ કરવામાં આવી છે જેની પર આગળ કામ કરવામાં આવશે.
ગત વર્ષે કેટલુ હતુ રેલ્વે બજેટ?
ગયા વર્ષે એટલે કે 2022માં કેન્દ્ર સરકાર દ્વારા રેલવે મંત્રાલયને કુલ 140367.13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સરકારે રેલવેના બજેટમાં વધારો કર્યો હોવાનું ગત બજેટમાં પણ જોવા મળ્યું હતું. ત્યારે રેલવે બજેટમાં 20 હજાર કરોડથી વધુનો વધારો થયો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આગામી 3 વર્ષમાં નવીનતમ તકનીકથી સજ્જ 400 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે.
ગત રેલ બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ નેશનલ રેલ પ્લાન 2030ની પણ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ રેલવેના વિકાસ માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી. જેમાં રેલવેની સુવિધાઓને નવો રૂપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે કેન્દ્રએ એક લાખ કરોડના રોકાણની વાત કરી હતી. ડિસેમ્બર 2023 સુધીમાં, બ્રોડગેજ રેલ્વેનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ થઈ જશે.
રેલ બજેટ અલગથી રજૂ કરવામાં આવ્યું હતું
રેલ બજેટ વિશે રસપ્રદ વાત આ છે કે પહેલા રેલ બજેટને અલગથી રજૂ કરવામાં આવતુ હતુ, આ સામાન્ય બજેટનો ભાગ નહતુ પરંતુ વર્ષ 2017થી મોદી સરકારે આ પરંપરાને ખતમ કરી દીધી અને રેલ બજેટને સામાન્ય બજેટનો ભાગ બનાવી દીધો હતો, ત્યારથી રેલ બજેટ પણ સામાન્ય બજેટ સાથે રજૂ કરવામાં આવે છે. કહેવામાં આવ્યુ કે નીતિ આયોગ તરફથી સરકારને આવી સલાહ આપવામાં આવી હતી.
Advertisement