નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહાપુરૂષ અને રાજનેતાઓની સમાધિ સ્થળની મુલાકાત લઇને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી સૌથી પહેલા રાજીવ ગાંધીના સમાધિ સ્થળ વીરભૂમી પહોચ્યા હતા. અહી તેમણે પોતાના પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તે બાદ રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધીના શક્તિ સ્થળ પહોચીને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. તે પછી રાહુલ ગાંધી મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પહોચ્યા હતા અને બાપૂને શ્રદ્ધાંજલિ આપી હતી.
Advertisement
Advertisement
રાહુલ ગાંધી તે પછી જવાહરલાલ નેહરૂના સમાધિ સ્થળ અને તે પછી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા. રાહુલ ગાંધીએ અહી અટલ બિહારી વાજપેયીને નમન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
2 જાન્યુઆરી સુધી ભારત જોડો યાત્રા બંધ રહેશે
ભારત જોડો યાત્રા 2 જાન્યુઆરી સુધી બંધ રહેશે. 3 જાન્યુઆરીથી આ યાત્રા ઉત્તર પ્રદેશથી શરૂ થશે અને ત્રણ જિલ્લાને કવર કરશે. ઉત્તર પ્રદેશના જિલ્લા ગાઝિયાબાદની લોની બોર્ડરથી યાત્રા એન્ટ્રી કરશે. 4 જાન્યુઆરીએ બાગપત, 5 જાન્યુઆરીએ શામલી અને 6 જાન્યુઆરીએ કૈરાના થઇને બીજા તબક્કામા હરિયાણાના સોનિપત જિલ્લામા પ્રવેશ કરશે. ત્યાથી ભારત જોડો યાત્રા પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરશે. મહત્વપૂર્ણ છે કે 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ કરવામાં આવેલી ભારત જોડો યાત્રાએ અત્યાર સુધી 10 રાજ્યોને કવર કરી લીધા છે. જેમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સામેલ છે.
Advertisement