નવી દિલ્હી: રાહુલ ગાંધીએ સંસદના બજેટ સત્રમાં પોતાની વાત મુકી હતી. આ દરમિયાન તેમણે ભારત જોડો યાત્રાના અનુભવ શેર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે શરૂઆતમાં લાગ્યુ કે આ યાત્રા મુશ્કેલ થશે પરંતુ પચી યાત્રા અમારી સાથે ખુદ વાત કરવા લાગી હતી. રાહુલ ગાંધીએ સંસદમાં ભારત જોડો યાત્રા સાથે જોડાયેલા અનુભવ શેર કરતા કહ્યુ કે લોકોએ અમને પોતાની સમસ્યા જણાવી હતી અને સવાલ પણ કર્યો કે અદાણી આટલા ઓછા સમયમાં આટલા બધા વેપાર કેવી રીતે કરવા લાગ્યા છે, તેમનો પીએમ મોદી સાથે શું સબંધ છે.
Advertisement
Advertisement
બજેટ સત્રમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે યાત્રામાં યુવાઓએ અમને કહ્યુ કે અમને પહેલા સર્વિસ અને પેન્શન મળતી હતી પરંતુ હવે અમને 4 વર્ષ પછી કાઢી મુકવામાં આવશે, સીનિયર અધિકારીઓએ કહ્યુ કે અમને લાગે છે કે અગ્નીવીર યોજના RSS તરફથી આવી છે અને તેને આર્મી પર થોપવામાં આવી છે.
રાહુલ ગાંધીએ અદાણી મુદ્દા પર સરકારને ઘેરી
રાહુલ ગાંધીએ કહ્યુ, “મે યાત્રા કરી, આ દરમિયાન તમિલનાડુ, કેરળથી હિમાચલ સુધી દરેક રાજ્યમાં એક જ નામ સાંભળવા મળ્યુ. અદાણી-અદાણી અને અદાણી.” રાહુલ ગાંધીએ કહ્યુ કે યુવા આ પૂછી રહ્યા હતા કે અદાણીની જેમ સ્ટાર્ટઅપ શરૂ કરવુ છે. આ જે બિઝનેસમાં હાથ નાખે છે, તેમાં સફળ થઇ જાય છે, તેમણે કહ્યુ કે અદાણી પહેલા દુનિયાના અમીરોમાં 609 નંબર પર હતા, ક્યો જાદુ થયો કે 9 વર્ષમાં તે નંબર 2 પર પહોચી ગયા. આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ મોદી હૈ તો મુમકિન હૈના નારા પણ લગાવ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યુ- અદાણી આટલી જલ્દી નંબર 2 પર કેવી રીતે આવી ગયા?
રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે જે રસ્તા પર ચાલો અને પૂછો કે કોણે બનાવ્યુ છે તો અદાણીનું જ નામ આવશે. હિમાચલના સફરજન અદાણીના છે. દેશ જાણવા માંગે છે કે અદાણીના વડાપ્રધાન સાથે કેવા સબંધ છે, તેમણે પીએમ મોદીની એક જૂની તસવીર બહાર કાઢી હતી અને સંસદમાં બતાવી હતી જેને લઇને સત્તાધારી સાંસદોએ હંગામો કર્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ટોક્યા હતા અને કહ્યુ કે પોસ્ટરબાજી ના કરો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અદાણી 2014માં 609માં નંબરથી આટલા ઓછા સમયમાં નંબર 2 પર કેવી રીતે પહોચી ગયા. અસલી મેજિક ત્યારે શરૂ થયુ જ્યારે મોદીજી દિલ્હી આવ્યા.
રાહુલ ગાંધીએ કહ્યુ કે યુવા અમને પૂછી રહ્યા છે કે અદાણી માત્ર 8-10 સેક્ટર્સમાં છે. એવામાં તેમની સંપત્તિ 2014માં 8 બિલિયન ડૉલરથી 2022માં 140 બિલિયન ડૉલર કેવી રીતે પહોચી ગઇ.
રાહુલ ગાંધીએ PM મોદીને પૂછ્યા સવાલ
– અદાણીજી તમારી સાથે કેટલી વખત વિદેશ ગયા?
– તમારા વિદેશ ગયા બાદ અદાણી કેટલી વખત તે દેશમાં ગયા?
– જે દેશમાં અદાણીને કૉન્ટ્રાક્ટ મળ્યો, ત્યા તમે ક્યારે ગયા?
– અદાણીજીએ છેલ્લા 20 વર્ષમાં BJPને કેટલા પૈસા આપ્યા?
Advertisement