પંજાબ પોલીસ હજુ સુધી ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી શકી નથી. આજે આ કેસની સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકારની જાટકણી કાઢી હતી અને પૂછ્યું કે 80 હજાર પોલીસકર્મીઓ શું કરી રહ્યા છે? કોર્ટના ઠપકા બાદ પોલીસે કાર્યવાહી ગતિશીલ બનાવી દીધી છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહની કેટલીક તસવીરો જાહેર કરી છે અને લોકોને મદદ માટે અપીલ કરી છે.
Advertisement
Advertisement
154 લોકોની અટકાયત કરવામાં આવી
પંજાબ પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ સુખચૈન સિંહ ગિલે કહ્યું, “અમૃતપાલ સિંહની કેટલીક તસવીરો જાહેર કરવામાં આવી છે. તેને પ્રદર્શિત કરવા હું તમને વિનંતી કરું છું જેથી લોકો તેની ધરપકડ કરવામાં અમારી મદદ કરી શકે.” આ કેસમાં અમે અમૃતપાલ સિંહની તસવીરો જાહેર કરી છે. અત્યાર સુધીમાં 154 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 2 રાઇફલ સહિત 12 હથિયારો મળી આવ્યા છે. અમૃતપાલની હજુ સુધી ધરપકડ થઈ શકી નથી, તેની ધરપકડના પ્રયાસો ચાલુ છે.
ભાગી છૂટવામાં મદદ કરનારા ચારની ધરપકડ
આ ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં પંજાબના આઈજીપી સુખચૈન સિંહ ગિલે કહ્યું કે જે કારમાં અમૃતપાલ સિંહ ભાગી ગયો હતો. તે કાર જપ્ત કરવામાં આવી છે. અમૃતપાલ સિંહને ભાગી છૂટવામાં મદદ કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના નામ મનપ્રીત સિંહ, ગુરદીપ સિંહ, હરપ્રીત સિંહ અને ગુરપેશ સિંહ છે. તેમની સામે આર્મ્સ એક્ટનો કેસ અને પોલીસ કસ્ટડીમાંથી આરોપીને ભગાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પંજાબમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે, કાયદો અને વ્યવસ્થા સામાન્ય છે. સીએમ પણ અધિકારીઓ પાસેથી સતત મામલાની માહિતી મેળવી રહ્યા છે. અન્ય રાજ્યો અને એજન્સીઓ તરફથી પણ સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. કોઈને પણ ગેરકાયદેસર ધરપકડ હેઠળ રાખવામાં આવ્યા નથી અથવા રાખવામાં પણ આવશે નહીં.
કોર્ટે પંજાબ સરકારની ઝાડકણી કાઢી
અમૃતપાલ સિંહ કેસની સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું કે પંજાબ સરકારનું ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. આખા ઓપરેશનનું પ્લાનિંગ કર્યું હતું તો પછી અમૃતપાલ ભાગી કેવી રીતે ગયો. તેના સિવાય તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી. કોર્ટે કહ્યું કે અમને પોલીસની કથા પર વિશ્વાસ નથી. પંજાબ સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ વિનોદ ઘાઈએ કહ્યું કે પોલીસ પાસે હથિયાર હોવા છતાં અમને બળનો ઉપયોગ કરતા અટકાવી દેવામાં આવ્યા હતા. કેટલીક બાબતો એટલી સંવેદનશીલ હોય છે કે અમે તેને કોર્ટમાં જાહેર કરી શકતા નથી. અમે અમૃતપાલની ધરપકડ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ એનએસ શેખાવતે કહ્યું કે આટલી સુરક્ષા વચ્ચે તે ભાગી ગયો તો તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે.
Advertisement