G-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમાની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાને જાપાનના હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આદરણીય બાપુની પ્રતિમા અહિંસા અને કરુણાના વિચારોને આગળ વધારવા માટે પ્રેરણારૂપ બનશે. વડાપ્રધાન મોદીએ હિરોશિમામાં જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે પણ મુલાકાત કરી હતી.
Advertisement
Advertisement
મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ દરમિયાન પીએમએ કહ્યું, “આજે પણ હિરોશિમાનું નામ સાંભળીને દુનિયા ધ્રૂજી જાય છે. G7 સમિટની આ મુલાકાતમાં મને પ્રથમ આદરણીય મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાનો લહાવો મળ્યો છે. આજે વિશ્વ આબોહવા પરિવર્તન અને આતંકવાદની લડાઈથી ઝઝૂમી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈ જીતવાનો શ્રેષ્ઠ માર્ગ પૂજ્ય બાપુનો આદર્શ છે. તેમની જીવનશૈલી પ્રકૃતિ પ્રત્યે આદર, સમન્વય અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.
પીએમ મોદીએ આપ્યો શાંતિનો સંદેશ
પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વને શાંતિનો સંદેશ આપનાર બુદ્ધ અને ગાંધીની ભૂમિ અને જાપાન ભગવાન બુદ્ધના વિચારોથી પલ્લવિત અને પોષિત છે. પૂજ્ય બાપુની પ્રતિમા અહિંસા અને કરુણાના વિચારો આગળ લઈ જવામાં મોટી પ્રેરણા બનશે.
જાપાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું તમને G7ના શાનદાર આયોજન માટે અભિનંદન આપું છું. G7 શિખર સંમેલનમાં ભારતને આમંત્રણ આપવા બદલ પણ હું તમારો ખૂબ આભારી છું. મેં તમને હિરોશિમામાં આપેલું બોધિ વૃક્ષ તમે વાવ્યું હતું અને જેમ જેમ તે વધશે તેમ તેમ ભારત-જાપાનના સંબંધો વધુ મજબૂત થશે. આ તે વૃક્ષ છે જે બુદ્ધના વિચારોને અમરત્વ આપે છે.
#WATCH जापान: प्रधानमंत्री नरेंद्र मोदी ने हिरोशिमा में महात्मा गांधी की प्रतिमा का अनावरण किया।#G7HiroshimaSummit pic.twitter.com/C8k42TzK99
— ANI_HindiNews (@AHindinews) May 19, 2023
Advertisement