મુંબઈ: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ આજે તેમની મુંબઈની મુલાકાત દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર અને શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેને મળશે.
Advertisement
Advertisement
JD(U)ના વિધાન પરિષદના સભ્ય (MLC)એ આ માહિતી આપી હતી. કુમાર અને તેજસ્વી ઠાકરેના નિવાસસ્થાને જશે અને બાદમાં પવારને તેમના ઘરે મળશે.
જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમાર 2024ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ ગઠબંધનને મજબૂત કરવા વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે. તેઓ મંગળવારે ભુવનેશ્વરમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને મળ્યા હતા.
JD(U) MLC કપિલ પાટીલે જણાવ્યું હતું કે કુમાર અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા યાદવ ઉપનગરીય બાંદ્રામાં ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે લંચ લેશે. તેમણે કહ્યું કે બંને નેતાઓ સાંજે પવારને દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ ખાતે મળશે.
Advertisement