અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળીને દિલ્હી રવાના થયા હતા. હીરાબાનું સ્વાસ્થ્ય બગડતા તેમણે અમદાવાદની યૂએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલના ડૉક્ટરોની 6 સભ્યોની એક ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉક્ટરો સાથે માતા હીરાબાના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી અને ચર્ચા કરી હતી. પીએમ મોદી યૂએન મહેતા હૉસ્પિટલમાં દોઢ કલાક રોકાયા હતા અને માતાના ખબર અંતર પૂછીને પછી રવાના થયા હતા.
Advertisement
Advertisement
સાંસદ જુગલજી ઠાકોરે કહ્યુ કે હીરાબાની તબિયત સારી છે, ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
હૉસ્પિટલ તરફથી હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યું કે તેમની સ્થિતિ સ્થિર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના ધારાસભ્ય હૉસ્પિટલમાં છે. અમદાવાદ એરપોર્ટ એરિયાને ડ્રોન માટે નો ફ્લાઇ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને પોલીસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
હીરાબાના સ્વાસ્થ્યમાં સુધાર- હેલ્થ બુલેટિન
યૂએન મહેતા હૉસ્પિટલ અમદાવાદની મોટી અને ઉચ્ચ ટેકનિકથી લેસ હૉસ્પિટલ છે. યૂએન મહેતા હૉસ્પિટલના ડિરેક્ટર આરકે પટેલે સ્વાસ્થ્ય બુલેટિનમાં કહ્યુ, હીરાબા હૉસ્પિટલમાં દાખલ છે અને તેમનું સ્વાસ્થ સ્થિર છે.
વડનગર હાટકેશ્વર મંદિરમાં પૂજા
હીરાબાના સ્વાસ્થ્યને લઇને વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી રહી છે અને હીરાબાના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
Advertisement