નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર અંદમાન અને નિકોબાર ટાપુના 21 સૌથી મોટા ટાપુનું નામકરણ કર્યુ છે. પીએમ મોદીએ આ સાથે જ નેતાજી સુભાષચંદ્ર બોસની જયંતી પર તેમણે શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ આ પ્રસંગે વીર સાવરકરને પણ યાદ કર્યા હતા, તેમણે કહ્યુ કે સાવરકર અને દેશ માટે લડનારા કેટલાક અન્ય નાયકોને અંદમાનની આ ભૂમિમાં કેદ કરી દેવામાં આવ્યા હતા પરંતુ તેમણે દેશ માટે પોતાની વીરતા બતાવી.
Advertisement
Advertisement
નેતાજીના યોગદાનને દબાવવાનો પ્રયાસ થયો
પીએમ મોદીએ કહ્યુ કે અંદમાનની ધરતી તે ભૂમિ છે, જ્યા પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો હતો, તેમણે કહ્યુ કે અંદમાનમાં પ્રથમ આઝાદ ભારતીય સરકારની રચના થઇ હતી, તેમણે કહ્યુ કે અંદમાનની ધરતી પર વીર સાવરકર અને તેમના જેવા અનેક વીરોએ દેશ માટે બલિદાન આપ્યુ છે. પીએમ મોદીએ આ સાથે જ કહ્યુ કે સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજીના યોગદાનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ આજે આખો દેશ તેમણે યાદ કરી રહ્યો છે.
નેતાજી સ્મૃતિ માટે કોઇના મોહતાજ નથી- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નેતાજી સુભાષ ચંદ્ર બોસને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે કહ્યુ કે આ દુર્ભાગ્ય છે કે નેતાજીને ભુલાવવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ જે વીર હોય છે તે પોતાની સ્મૃતિ માટે કોઇના મોહતાજ નથી હોતા.
નેતાજી પર રાષ્ટ્રીય સ્મારકના મૉડલનું અનાવરણ કર્યુ
પીએમ મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસ ટાપુ પર બનનારા નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મૉડલનું પણ અનાવરણ કર્યુ હતુ. અંદમાન અને નિકોબાર ટાપુના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખતા અને નેતાજીની સ્મૃતિનું સમ્માન કરવા માટે રૉસ ટાપુ ગ્રુપનું નામ બદલીને 2018માં ટાપુની યાત્રા દરમિયાન વડાપ્રધાન દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોસ ટાપુ રાખવામાં આવ્યું હતું. નીલ ટાપુ અને હૈવલૉક ટાપુ પણ હતા જેમના નામ બદલીને શહીદ ટાપુ અને સ્વરાજ ટાપુ કરી દેવામાં આવ્યું છે.
Prime Minister Narendra Modi names the 21 largest unnamed islands of Andaman & Nicobar Islands, via video conferencing. pic.twitter.com/MUEdMgF2ZL
— ANI (@ANI) January 23, 2023
વિક્રમ બત્રા સહિત પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યા નામ
ટાપુના નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યા છે જેમાં- મેજર સોમનાથ શર્મા, સૂબેદાર અને કેપ્ટન (તત્કાલીન લાન્સ નાયક) કરમ સિંહ, દ્વિતીય લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાયક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરૂ સિંહ, કેપ્ટન જીએસ સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ (તત્કાલીન મેજર) ધન સિંહ થાપા, સૂબેદાર જોગિંદર સિંહ, મેજર શૈતાન સિંહ, સીક્યૂએમએચ અબ્દુલ હમીદ, લેફ્ટનન્ટ કર્નલ અર્દેશિર બુર્જોરજી તારાપોર, લાંસ નાયક અલ્બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેત્રપાલ, ફ્લાઇંગ અધિકારી નિર્મલજીત સિંહ સેખો, મેજર રામાસ્વામી પરમેશ્વરન, નાયબ સુબેદાર બાના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે, સુબેદાર મેજર (તત્કાલીન રાઇફલમેન), સંજય કુમાર અને સુબેદાર મેજર સેવાનિવૃત (માનનીય કેપ્ટન) ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ
આજે પરાક્રમ દિવસ
દેશભરમાં આજે પરાક્રમ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોસની જયંત્તિ પર ભારત સરકારે 2021માં તેની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીની જાહેરાત બાદથી દર વર્ષે નેતાજીની જયંતિને જ પરાક્રમ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.
Advertisement