ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં બે દિવસના રાષ્ટ્રીય મેયર સમ્મેલનમાં ભાગ લીધો હતો. પીએમ મોદી આ કાર્યક્રમમાં વર્ચુઅલ રીતે જોડાયા છે. આ સમ્મેલનમાં દેશભરમાં ભાજપ શાસિત શહેરી સ્થાનિક મેયર સમ્મેલનમાં સામેલ થયા છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય મેયર સમ્મેલનમાં તમામનું સ્વાગત કરતા કહ્યુ કે આઝાદીના અમૃત કાળમાં આગામી 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો એક રોડ મેપ બનાવવામાં આ સમ્મેલનની મોટી ભૂમિકા છે. પીએમ મોદીએ કહ્યુ કે શહેરોના વિકાસને લઇને લોકોને ભાજપ પર પુરો વિશ્વાસ છે.
Advertisement
Advertisement
લોકોનો વિશ્વાસ બનાવી રાખવુ અમારૂ મુખ્ય દાયિત્વ: પીએમ મોદી
કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યુ કે સામાન્ય નાગરિકનો સબંધ જો સરકાર નામની કોઇ વ્યવસ્થાથી આવે છે તો પંચાયતથી આવે છે, નગર પંચાયતથી આવે છે, નગરપાલિકાથી આવે છે, મહાનગરપાલિકાથી આવે છે. આ પ્રકારનો વિચાર-વિમર્શનું મહત્વ વધી જાય છે. આ સાથે જ તેમણે કહ્યુ કે અમારા દેશના નાગરિકોએ ઘણા લાંબા સમયથી શહેરોના વિકાસને લઇને ભાજપ પર વિશ્વાસ રાખ્યો છે, તેને નિરંતર બનાવી રાખવુ, તેને વધારવુ આપણા બધાનું મુખ્ય દાયિત્વ છે.
પીએમ મોદીએ કહ્યુ કે, સરદાર પટેલ અમદાવાદના મેયર રહી ચુક્યા છે. સરદાર પટેલે AMCમાં જે કામ કર્યા તેને આજે યાદ કરવામાં આવે છે.ગુજરાતમાં જનતાની સેવા કરવાનો મને મોકો મળ્યો, દેશના નાગરિકોએ શહેરોનો વિકાસ જોઇને ભાજપ પર વિશ્વાસ કર્યો. વધુમાં પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે વિકાસ માનવ કેન્દ્રીત હોય તો સાર્થક પરિણામ મળે છે, ભાજપના અધ્યક્ષને આ કાર્યક્રમ માટે અભિનંદન. જનતાને ઇમાનદારી દેખાય તેમ સાથ આપે છે.પીએમ મોદીએ કહ્યુ કે, ગુજરાતમાં મે પણ કેટલાક વર્ષો સુધી જનતાની સેવા કરી. સબકા સાથ, સબકા વિશ્વાસ એ જ વિકાસ મોડલ છે. સમાજને જોડતા રહેવુ જોઇએ. વિકાસના કામો એવા કરો કે લોકો વર્ષો સુધી યાદ રાખે. શહેરોની જનસંખ્યા તેજીથી વધવાની છે. શહેરોને વિકાસની જરૂરત છે.
PM Shri @narendramodi addresses Council of Mayors and Deputy Mayors of BJP in Gujarat. https://t.co/tvjWHOxcA6
— BJP (@BJP4India) September 20, 2022
આ કાર્યક્રમના ઉદ્દઘાટન દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે અમે રાજનીતિમાં આવ્યા છીએ તો માત્ર ગાદી પર બેસવા નથી આવ્યા, સત્તામાં બેસવા નથી આવ્યા. સત્તા અમારી માટે માધ્યમ છે, લક્ષ્ય સેવા છે. સુશાસન દ્વારા કોઇ રીતે અમે જનતાની સેવા કરી શકીએ છીએ, માટે અમે કામ કરીએ છીએ.
ફડણવીસ અને હરદીપ પુરી પણ કાર્યક્રમમાં સામેલ થયા
આ કાર્યક્રમની જાણકારી આપતા ભાજપના રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિન્હાએ કહ્યુ કે દેશભરના 121 મેયર આ બે દિવસના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. પાર્ટીના ગુડ ગવર્નન્સ સેલ દ્વારા આ મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ બે દિવસીય પરિષદમાં ભાગ લીધો હતો.
Advertisement