નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. બેઠકમાં પીએમ મોદીએ તુર્કીમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો અને ઇમોશનલ બની ગયા હતા. પીએમ મોદીએ કચ્છમાં 2001માં આવેલા ભૂકંપને યાદ કરતા કહ્યુ કે, આવી મુશ્કેલી અમે પણ ઝેલી છે. ભારત તુર્કીની દરેક સંભવ મદદ કરશે.
Advertisement
Advertisement
ભાજપ સંસદીય દળની બેઠકમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપ પર સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યા બનેલી સ્થિતિ અંગે વાત કરતા પીએમ મોદીએ વર્ષ 2021માં કચ્છના ભૂકંપને યાદ કરીને કહ્યુ, આ રીતની આફત અમે પણ ઝેલી છે. અમે (ભારત) આ મુશ્કેલી ભરેલા સમયમાં તુર્કીને દરેક શક્ય મદદ કરશે.
6 ફેબ્રુઆરીએ તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે અત્યાર સુધી 4 હજાર 300 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે 15 હજારથી વધુ લોકો ઘાયલ છે.
કચ્છમાં 2001માં આવ્યો હતો ભૂકંપ
26 જાન્યુઆરી, 2001માં સવારે 8.46 મિનિટ પર કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. 2 મિનિટ સુધી આ ભૂકંપમાં ધરતી હલી હતી. આ ધરતીકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમે હતુ.
આ ભૂકંપમાં 20 હજાર લોકોના મોત થયા હતા જ્યારે 1.50 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભૂકંપમાં 4 લાખ જેટલા મકાન ધરાશાયી થઇ ગયા હતા.
ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે 700 કિમી સુધીના વિસ્તારમાં 182 તાલુકાઓમાં અસર થઇ હતી. 6 લાખથી વધુ લોકો ઘર વિહોણા થઇ ગયા હતા. અમદાવાદમાં પણ 81 બિલ્ડિંગો જમીનદોસ્ત થઇ ગઇ હતી.
Advertisement