રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામકંડોરણામાં એક જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીને સાંભળવા માટે હજારો લોકો ભેગા થયા હતા. જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે જે લોકોએ ગુજરાતના હિત વિરૂદ્ધ કામ કર્યુ અને 20 વર્ષ સુધી મને હેરાન કર્યા, તેમણે કોર્ટમાં જિને ગુજરાતને બદનામ કર્યુ છે. કોંગ્રેસના નેતાઓને પૂછો કે તેમણે ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નો પ્રવાસ કર્યો છે, જે લોકો ધરતીપુત્ર સરદાર પટેલની ઇજ્જત નથી કરતા, તેમના માટે ગુજરાતમાં કોઇ જગ્યા ના હોવી જોઇએ.
Advertisement
Advertisement
પીએમ મોદીએ કહ્યુ કે ભારત સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરી રહી છે તો કેટલાક લોકો સરકારને બદનામ કરે છે, તેમણે કહ્યુ કે એક સમય હતો જ્યારે એવી તપાસ કરવી પડતી હતી કે અમદાવાદમાં કરર્ફ્યૂ તો નથી ને.
સિક્સ લેન હાઇવે અને રેપિડ ટ્રાન્સપોર્ટ ગુજરાતની ઓળખ
વિકાસ વિશે પીએમ મોદીએ કહ્યુ કે ફોર લેન, સિક્સ લેન હાઇવે અને રેપિડ ટ્રાન્સપોર્ટ આ બધુ ગુજરાતની ઓળખ બની ગયા છે. પીએમ મોદીએ કહ્યુ કે પહેલા મેડિકલમાં એડમિશન તેમણે જ મળતુ હતુ જે અંગ્રેજી જાણતા હતા. હવે અમે ગુજરાતીમાં મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસની પરવાનગી આપી છે. તેનાથી ગામના વિદ્યાર્થીઓને તક મળશે.
રાજકોટ એજ્યુકેશન હબ બન્યુ
જનસભામાં પીએમ મોદીએ કહ્યુ કે 20 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 26 એન્જિનિયરિંગ કૉલેજ હતી, પરંતુ આજે અમારી પાસે 130 કોલેજ છે. રાજકોટ એજ્યુકેશનલ હબ બની ગયુ છે. આજે બીજા રાજ્યના બાળકો ગુજરાતના શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેવા માંગે છે. સાથે જ પીએમ મોદીએ કહ્યુ કે અહી પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે અને દુનિયાભરના લોકો ગુજરાત આવી રહ્યા છે.
જામકંડોરણાનો પ્રવાસ કરનાર પ્રથમ વડાપ્રધાન
રાજકોટમાં પીએમ મોદીએ કહ્યુ કે ભાજપ સરકારે લોકોની આકાંક્ષાઓને એક આદેશના રૂપમાં લીધુ છે. સાથે જ તેમણે કહ્યુ કે મે અખબારમાં વાંચ્યુ કે જામકંડોરણાનો પ્રવાસ કરનાર હું પ્રથમ વડાપ્રધાન છું પરંતુ મારે અવાર નવાર તે કામ કરવુ પડે છે જે પહેલા કોઇએ કર્યુ નથી.
Advertisement