હાલ પાકિસ્તાન તેના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જોકે, પાકિસ્તાનની નજર હજુ કાશ્મીર પર છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પાકિસ્તાને ફરી એક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પહેલી વખત થયું નથી. પાકિસ્તાન કાશ્મીરનો રાગ આલાપવાની એક પણ તક છોડતું નથી. કોઈપણ બેઠકમાં તે કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે અને ફરીથી ભારતનો ઠપકો ખાય છે.
Advertisement
Advertisement
ભારતે પાકિસ્તાનની ઉગ્ર શબ્દોમાં ટીકા કરી
મહિલા, શાંતિ અને સુરક્ષાના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચર્ચા દરમિયાન પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢતાં કહ્યું કે તમારો દુર્ભાવનાપૂર્ણઅને જૂઠ્ઠો પ્રચાર જવાબ આપવાને લાયક પણ નથી. જમ્મુ અને કાશ્મીર વિષેના પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે તમારું નિવેદન ‘નિરાધાર અને રાજકારણથી પ્રેરિત’છે.
તેમણે કહ્યું, ‘હું કોઈ તારણ પર પહોંચુ તે પહેલાં, હું કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ – કાશ્મીર વિષે પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી નિમ્ન સ્તરની, પાયાવિહોણી અને રાજકારણથી પ્રેરિત ટિપ્પણીને નકારી કાઢું છું.’
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સંમેલનમાં ‘મહિલા, શાંતિ અને સુરક્ષા’પર જાહેર ચર્ચામાં બોલતા કંબોજે કહ્યું, ‘મારું પ્રતિનિધિમંડળ આ પ્રકારના દુર્ભાવનાપૂર્ણ અને ખોટા પ્રચારનો જવાબ આપવા માટે પણ લાયક ગણતું નથી. તેમણે ઉમેર્યું કે ભારતે પાકિસ્તાનને અગાઉ જ જણાવી દીધું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ – કાશ્મીર અને લદાખનો સંપૂર્ણ વિસ્તાર ભારતનો હિસ્સો છે અને રહેશે.
આતંકવાદ મુક્ત વાતાવરણ સર્જવાની જવાબદારી પાકિસ્તાનની છે
ભારતે પુનરોચ્ચાર કર્યો કે તે પાકિસ્તાન સાથે સામાન્યપડોશી તરીકેના સંબંધ ઈચ્છે છે. પાકિસ્તાન આતંકવાદ અને શત્રુતાથી મુક્ત વાતાવરણ ઉભું કરવાની જવાબદારી લેશે ત્યારે જ આ પ્રકારના સંબંધ શક્ય બનશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે સભ્ય દેશોએ રાજકીય પ્રક્રિયા અને નિર્ણય લેવામાં મહિલાઓની ભાગીદારી અને સમાવેશ માટે એક સક્ષમ વાતાવરણ પૂરું પાડવું જોઈએ.
Advertisement