નવી દિલ્હી: ભારતે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સમજૂતિમાં સંશોધન માટે પાકિસ્તાનને નોટિસ જાહેર કરી છે. સરકારી સૂત્ર અનુસાર, પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતિને લાગુ કરવાનું ભારત દ્રઢ સમર્થક અને જવાબદાર ભાગીદાર રહ્યુ છે. પાકિસ્તાનની કાર્યવાહીઓએ સિંધુ જળ સમજૂતિમાં જોગવાઇ પર પ્રતિકૂળ પ્રભાવ નાખ્યો છે, ભારતને તેમાં સંશોધન માટે યોગ્ય નોટિસ જાહેર કરવા મજબૂર કર્યુ છે.
Advertisement
Advertisement
ભારતે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સમજૂતિ (IWT)માં સંશોધન માટે પાકિસ્તાનને નોટિસ જાહેર કરી છે. સિંધુ જળ માટે સબંધિત કમિશનરો દ્વારા 25 જાન્યુઆરીએ નોટિસ આપવામાં આવી હતી. આ સિંધુ જળ સંધિની કલમ XII(3) અનુસાર છે. સૂત્રના જણાવ્યા અનુસાર, નોટિસમાં કહેવામાં આવ્યું છે કે IWTને પત્ર અને ભાવનાથી લાગુ કરવામાં ભારત હંમેશા અડગ સમર્થક અને જવાબદાર ભાગીદાર રહ્યું છે. જો કે, પાકિસ્તાનની કાર્યવાહીઓએ સિંધુ જળ સમજૂતિની જોગવાઇ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને સિંધુ જળ સંધિના સંશોધન માટે યોગ્ય નોટિસ જાહેર કરવાની ફરજ પડી છે.
વર્ષ 2015માં પાકિસ્તાને ભારતના કિશનગંગા અને રાતલે હાઇડ્રોલેક્ટ્રિક પ્રોજેક્ટ (HEP) પર પોતાની ટેકનિક વાંધાઓની તપાસ કરવા માટે તટસ્થ નિષ્ણાતની નિમણૂક માટે વિનંતી કરી હતી. 2016માં પાકિસ્તાને એક તરફી રીતે તેનો અનુરોધ પરત લઇ લીધુ હતુ અને પ્રસ્તાવિત કર્યુ કે એક મધ્યસ્થતા અદાલત તેની આપત્તિઓ પર નિર્ણય સંભળાવશે. પાકિસ્તાન દ્વારા આ એક તરફી કાર્યવાહી સિંધુ જળ સંધિની કલમ IX દ્વારા પરિકલ્પિત વિવાદ નિરાકરણની ગ્રેડ મિકેનિઝમનું ઉલ્લંઘન છે. ભારતે આ મામલાને તટસ્થ નિષ્ણાત પાસે મોકલવા માટે એક અલગ વિનંતી કરી હતી.
નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે ભારત દ્વારા પારસ્પરિક રીતે સહમત રીતે આગળ વધવા માટે વારંવાર પ્રયાસ કરવા છતા પાકિસ્તાને 2017થી 2022 સુધી સ્થાયી સિંધુ આયોગની પાંચ બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાને નિરંતર આગ્રહ પર વિશ્વ બેન્કે તાજેતરમાં તટસ્થ જાણકાર અને મધ્યસ્થતા ન્યાયાલય પ્રક્રિયાઓ બન્ને પર કાર્યવાહી શરૂ કરી છે. IEWTVની કોઇ પણ જોગવાઇ હેઠળ સમાન મુદ્દા પર આ રીતના સમાનાંતર વિચારને કવર કરવામાં આવ્યા નથી.
Advertisement