નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને ગુરૂમંત્ર આપ્યો છે. એન્ટી ઇનકમ્બસી પર ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે જો તમે બધા જનતા સાથે સારી રીતે કનેક્ટ રહો છો તો એન્ટી ઇન્કમ્બન્સી નહી થાય. સાંસદોએ પોત પોતાના વિસ્તારમાં જવુ જોઇએ અને જનતા સાથે કનેક્ટ રહેવુ જોઇએ. આ પહેલા ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીએ લોકોસભા ચૂંટણી માટે કમર કસવા કહ્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે લોકસભા ચૂંટણીમાં માત્ર 400 દિવસ બાકી છે.
Advertisement
Advertisement
ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ અમૃતકાળનું બજેટ છે. આ બજેટ બધા માટે છે. આ બજેટને જન-જન સુધી લઇ જવામાં આવશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે વડાપ્રધાને ઘણા વિષય તરફ ધ્યાન અપાવ્યુ છે, તેમણે કહ્યુ કે પુરૂ બજેટ અને વચગાળાનું બજેટ મળીને 25 બજેટનો અનુભવ મળ્યો છે. આ ચૂંટણી બજેટ કહેવાનું સાહસ નથી. ગરીબોનું ધ્યાન રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે. તમામ ગરીબ અને મધ્યમ વર્ગે કઇને કઇ મળ્યુ છે.
PM મોદી ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે. શનિવારે 11 ફેબ્રુઆરીએ પીએમ મોદીની ત્રિપુરામાં રેલી છે. પીએમ મોદી શનિવારે 2 રેલીને સંબોધશે. પ્રથમ રેલી ગોમતી જિલ્લામાં 12 વાગીને 45 મિનિટ પર અને બીજી રેલીને ધલાઇમાં 2 વાગીને 30 મિનિટ પર સંબોધિત કરશે.
Advertisement