પ્યોંગયાંગ: ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલોનું પરીક્ષણને લઈને પડોશી દેશ જાપાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. એક વખત ફરીથી ઉત્તર કોરિયાએ જાપાન ઉપર થઇને એક મિસાઇલ છોડી હોવાના કારણે જાપાનવાસીઓમાં ડરનો માહોલ બની ગયો છે. આ કારણે જાપાન સરકારે હોકાઈડો દ્વીપના લોકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું છે. આટલું જ નહીં, સરકારે કેટલીક ટ્રેનોનું સંચાલન પણ અસ્થાયી ધોરણે બંધ કરી દીધું છે.
Advertisement
Advertisement
2017 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઉત્તર કોરિયાએ જાપાન ઉપર મિસાઈલ છોડી છે.
સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર બેલેસ્ટિક અને પરમાણુ હથિયારોના પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે.
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ઉત્તર કોરિયાના પગલાની સખત નિંદા કરી અને તેને “હિંસક વર્તન” ગણાવ્યું. જાપાન સરકારે આ અંગે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી.
સરકારે કહ્યું કે આ મિસાઈલ જાપાનથી લગભગ 3000 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં પડી હતી.
દક્ષિણ કોરિયાએ માહિતી આપી હતી કે મિસાઇલ સ્થાનિક સમય અનુસાર લગભગ 7:29 વાગ્યે લોન્ચ કરવામાં આવી હતી અને તે જાપાની એરસ્પેસમાંથી પસાર થઈ હતી.
અમેરિકાએ ઉત્તર કોરિયાના આ પગલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.
એક સપ્તાહમાં ઉત્તર કોરિયાનું આ પાંચમું મિસાઈલ પરીક્ષણ છે.
શનિવારે જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) પાસે બે રોકેટ આવીને પડ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના દબાણ છતાં કિમ જોંગ ઉને તાજેતરમાં મિસાઈલના પરીક્ષણો તેજ કર્યા છે.
સખત પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયાએ 2006 થી 2017 વચ્ચે છ પરમાણુ પરીક્ષણો કર્યા હતા.
Advertisement