નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પોસ્ટર જાહેર કરીને લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના ચાર મોસ્ટ વોન્ટેડ આતંકીઓ વિશે જાણકારી માંગી છે. પુલવામા અને અન્ય શહેરોમાં ચાર આતંકીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં દરેકના માથા પર 10 લાખનું ઇનામ છે. આ તમામ આતંકી જમ્મુ અને કાશ્મીરમાં લશ્કરના ફ્રંટલ આતંકવાદી સંગઠન TRFના આતંકવાદી ગતિવિધિમાં વોન્ટેડ છે. આતંકવાદ સબંધિત કેસમાં વોન્ટેડ ચાર લોકોમાં બે પાકિસ્તાની નાગરિક છે જે આતંકવાદી સંગઠન, ધ રેસિસ્ટન્સ ફ્રંટ (TRF) અને બે સ્થાનિક ઉગ્રવાદીઓનું સંચાલન કરી રહ્યા છે.
Advertisement
Advertisement
સ્થાનિક ઉગ્રવાદીઓની ઓળખ કુલગામ જિલ્લાના બાસિત અહમદ ડારના રૂપમાં થઇ છે, તેને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ફ્રંટલ સંગઠન TRFના કટ્ટર આતંકવાદીના રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યો છે. બીજો સ્થાનિક જેના માથા પર 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે, તેની ઓળખ શેખ સજ્જાદ ઉર્ફ શેખ જૈદના રૂપમાં થઇ છે. તે શ્રીનગરના HMT વિસ્તારમાં રહે છે. જોકે, સૂત્રોએ કહ્યુ કે સજ્જાદ ગત કેટલાક વર્ષથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં છે.
NIAએ વૉટ્સએપ નંબર જાહેર કર્યો
જે બે પાકિસ્તાની ઉગ્રવાદીઓના પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે, તેમની ઓળખ સલીમ રહમાની ઉર્ફ ઉબૂ સાદ સિંધ પાકિસ્તાન અને સૈફુલ્લા સાજિદ જાટ શાંગમંગા પંજાબ પાકિસ્તાનના રૂપમાં થઇ છે. NIAએ કહ્યુ કે આ આતંકીઓના સબંધમાં જાણકારી આપનારા વ્યક્તિને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સાથે જ સૂચના આપનારાની જાણકારી ગુપ્ત રાખવામાં આવશે, તેની માટે NIAએ ટેલીફોન નંબરની સાથે સાથે એક વૉટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે, જેની પર આ રીતની જાણકારી શેર કરવામાં આવી શકે છે.
Advertisement