કોચ્ચિ: કેરળમાં પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (Popular Front of India) વિરૂદ્ધ NIAની રેડ ચાલી રહી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, NIA કેરળમાં 56 જગ્યાએ પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા પર રેડ કરી રહ્યુ છે. PFIને આ વર્ષે સપ્ટેમ્બરમાં ગૃહ મંત્રાલયે પાંચ વર્ષ માટે બેન કરી દીધા હતા. ANI પાસેથી મળેલી જાણકારી અનુસાર, PFIના કાર્યકર્તાઓ સાથે સબંધ રાખનારા કેટલાક શંકાસ્પદ ઓફિસમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.
Advertisement
Advertisement
સૂત્રો પાસેથી મળતી જાણકારી વિરૂદ્ધ PFI પર થઇ રહેલી આ રેડ ગુરૂવાર સવારથી શરૂ થઇ છે. NIA દ્વારા આજની એક્શન PFI કેડરમાં સામેલ તે લોકો પર લેવામાં આવી રહ્યો છે જેમની પર કેટલીક આતંકવાદી ગતિવિધિમાં સામેલ થવા અને સંજીથ (કેરળ, નવેમ્બર 2021), વી-રામલિંગમ (તમિલનાડુ, 2019), નંદૂ (કેરળ, 2021), અભિમન્યુ (કેરળ, 2018), બીબીન (કેરળ, 2017), શરથ (કામાટક, 2017), આર રૂદ્રેશ (કામાટક, 2016), પ્રવીણ પુયારી (કર્ણાટક, 2016) અને શશિ કુમાર (તમિલનાડુ, 2016) સહિત કેટલીક વ્યક્તિની હત્યાનો આરોપ છે.
PFI પર શું આરોપ છે?
- ગૃહ મંત્રાલય અનુસાર, PFI કેડરો દ્વારા શાંતિ ભંગ કરવા અને જનતાને ભયભીત કરવા માટે ગુનાહિત ગતિવિધિ અને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
- ગૃહ મંત્રાલય અનુસાર, PFIના આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનો સાથે પણ લિંક છે અને તેના કેટલાક કાર્યકર્તા સીરિયા, ઇરાક અને અફઘાનિસ્તાન જઇને આતંકી સંગઠન ISISની ગતિવિધિમાં સામેલ થયા છે.
- દાવો એવો પણ કરવામાં આવે છે કે ISIS સાથે લિંક PFIના કેટલાક કાર્યકર્તા સીરિયા, ઇરાક અને અફઘાનિસ્તાનમાં આતંકી ગતિવિધિ દરમિયાન માર્યા જઇ ચુક્યા છે. એવો પણ આરોપ છે કે PFIના બાંગ્લાદેશ બેસ્ડ ટેરર ગ્રુપ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે પણ લિંક છે.
National Investigation Agency (NIA) raids underway at 56 locations in Kerala in the Popular Front of India (PFI) case. Visuals from Ernakulam. https://t.co/6IQEZkI2Kf pic.twitter.com/re5qi37qoL
— ANI (@ANI) December 29, 2022
Advertisement