કાઠમંડુ: નેપાળમાં 68 મુસાફર અને ચાર ક્રૂ મેમ્બર્સ સાથે 15 જાન્યુઆરી, રવિવારે યેતી એરલાઇન્સનું ATR-72 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બની ગયુ હતુ. નેપાળ નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે એક નિવેદન જાહેર કર્યુ હતુ જેમાં કહેવામાં આવ્યું કે દૂર્ઘટનામાં 68 લોકોના મોતની પૃષ્ટી થઇ છે. તપાસ અભિયાનને આજ માટે રોકી દેવામાં આવ્યો છે અને ચાર મુસાફરોની ખબર પડી નથી.
Advertisement
Advertisement
આ ક્યુ વિમાન હતુ? તેમાં કેટલા ભારતીય સવાર હતા? દૂર્ઘટના કેવી રીતે બની? અહી તમને એક સાથે Nepal Plane Crashમાં અત્યાર સુધી સામે આવેલી જાણકારી આપીએ છીએ.
1. દૂર્ઘટના કેવી રીતે સર્જાઇ?
આ વિમાન પાટનગર કાઠમાંડૂથી મધ્ય નેપાળમાં સ્થિત પોખરા જઇ રહ્યુ હતુ. કાઠમાંડુથી પોખરા માટે સવારે 10 વાહીને 32 મિનિટ પર ઉડાન ભરનારા યેતી એરલાઇન્સનું એટીઆર 72 વિમાન રવિવાર સવારે શહેરના નયાગાંવમાં દૂર્ઘટનાગ્રસ્ત બની ગયુ હતુ. ચીની સહાયતાથી બનેલા નવનિર્મિત પોખરા એરપોર્ટ પર ઉતરવા દરમિયાન વિમાનમાં આગ લાગી હતી. રડારથી હટ્યા પહેલા વિમાને સવારે 10.50 વાગ્યે કંટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો હતો.
જોકે, દૂર્ઘટના કેમ બની, તેના વિશે ઓફિશિયલ ડિટેલ્સ હજુ સુધી બહાર આવી નથી. યેતી એરલાઇન્સના એક પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી રૉયટરને જણાવ્યુ કે વિમાન ટુકડામાં તૂટી ગયુ છે. સામે આવેલી તસવીરો અને વીડિયોમાં દૂર્ઘટનાસ્થળથી કાળો ધુમાડો જોવા મળી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે પોખરામાં રવિવાર સવારે તડકો હતો. નેપાળના નાણા મંત્રી બિષ્ણુ પૌડેલે રિપોર્ટ્સને જણાવ્યુ કે સરકારે દૂર્ઘટનાના કારણોની તપાસ માટે એક પેનલની રચના કરી છે અને તેનો રિપોર્ટ 45 દિવસની અંદર આવવાની આશા છે.
2. દૂર્ઘટનાનો શિકાર બનેલુ વિમાન ક્યુ હતુ?
દૂર્ઘટનાગ્રસ્ત વિમાન 15 વર્ષ જૂનું હતુ અને આ ટ્વિન એન્જિન ધરાવતુ ATR 72 વિમાનને નેપાળની યેતી એરલાઇન્સ સંચાલિત કરતી હતી. ATR 72ને એર બસ અને ઇટાલીના લિયોનાર્ડો દ્વારા મળીને બનાવવામાં આવે છે. આ વ્યાપક રીતે ઉપયોગ થનારૂ ટ્વિન એન્જિન ટર્બોપ્રૉપ વિમાન છે. યેતી એરલાઇન્સની વેબસાઇટ અનુસાર, તેની પાસે કુલ છ ATR 72-500 વિમાનોનો જથ્થો છે.
યેતી એરલાઇન્સે ટ્વીટ કરીને જાણકારી આપી કે દૂર્ઘટનાને જોતા ઇમરજન્સી અને રેસક્યૂ ફ્લાઇટને છોડીને 16 જાન્યુઆરીની તમામ ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે.
3. વિમાનમાં કેટલા લોકો સવાર હતા? તેમાં કેટલા ભારતીય હતા?
વિમાનમાં હાજર મુસાફરોમાં ત્રણ શિશુ, ત્રણ બાળક અને 62 યુવાન હતા. આ સિવાય 4 ક્રૂ મેમ્બર હતા. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ અનુસાર મુસાફરોમાં 53 નેપાળી, પાંચ ભારતીય, ચાર રશિયન, એક આયરિશ, એક ઓસ્ટ્રેલિયન, એક આર્જેન્ટીના, બે કોરિયન અને એક ફ્રાંસીસી સામેલ હતા.
વિમાનમાં સવાર પાંચ ભારતીય ગાજીપુરના રહેવાસી છે. યેતી એરલાઇન્સ દ્વારા પણ આ પાંચ ભારતીયોની ઓળખ કરવામાં આવી છે તેમના નામ છે: અભિષેક કુશવાહા, વિશાલ શર્મા, અનિલ કુમાર રાજભર, સોનૂ જયસ્વાલ અને સંજય જયસ્વાલ. સંજય જયસ્વાલને છોડીને બાકી યુવક ગાજીપુરના હતા અને એક બીજાના મિત્ર હતા.
ચારેય 13 જાન્યુઆરીએ ગાજીપુરથી નેપાળ ફરવા ગયા હતા અને આ દૂર્ઘટના બની હતી. પોખરા કેટલાક ભારતીયો માટે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.
નેપાળમાં હિંસક વિમાન દૂર્ઘટનાનો ઇતિહાસ
આ પ્રથમ ઘટના નથી જ્યારે નેપાળમાં કોઇ વિમાન દૂર્ઘટનામાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. નેપાળમાં પ્લેન દૂર્ઘટનાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. એકલા છેલ્લા 30 વર્ષની અંદર નેપાળે આવી 27 પ્લેન દૂર્ઘટના જોઇ છે.
આ દૂર્ઘટના 1992 પછી નેપાળની સૌથી વધુ મોતની દૂર્ઘટના છે. 1992માં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનમાં સવાર તમામ 167 લોકોના મોત તે સમયે થયા હતા જ્યારે તે કાઠમાંડૂના રસ્તામાં દૂર્ઘટનાગ્રસ્ત બન્યુ હતુ.
Advertisement