ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાતમાં સરકારી અધિકારીઓને 12 કરોડ રૂપિયાથી વધારેનો ચૂનો લગાવનાર ઠગ વ્હોરા સમાજના મુખ્ય ધર્મગુરૂ સાથે નજીકનાં સંબંધો ધરાવતા હોવાની વાત મળી રહી છે. મળતી વિગત મુજબ, ચેન્નાઇ સ્થિત આ ઠગના દિવંગત પિતા મુખ્ય ધર્મગુરૂ સાથે નજીકથી જોડાયેલા હતા. જેમનો ઉપયોગ આ ઠગે અધિકારીઓના વિશ્વાસ કેળવવા માટે કર્યો છે. તે ઉપરાંત રાજકોટના ઘણા રાજનેતાઓના નામ પણ આ ઠગે અલગ-અલગ જગ્યાએ વાપર્યો છે. 2020-21ના તત્કાલિન સરકાર સાથે પારિવારિક સંબંધો હોવાનું પણ આ ઠગે અધિકારીઓ સામે ભરોસો સ્થાપિત કરવા ફાકા ફોજદારી કરી હતી.
Advertisement
Advertisement
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ અગાઉ જ ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા ચેન્નાઇના વ્હોરા મુસ્લિમ સમાજના એક વ્યક્તિ દ્વારા ગુજરાતના અધિકારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના અહેવાલ પ્રકાશિત કર્યા હતા. હવે આ સમાચારમાં ઠગે કેવી રીતે વિશ્વામાં લઇને અધિકારીઓને ચૂનો ચોપડ્યો તેમની અનેક વિગતો અનધિકારિક સુત્રો દ્વારા ગુજરાત એક્સક્લૂઝિવને મળી રહી છે.
ધર્મગુરૂ અને રાજકીય નેતાઓના નામે અધિકારીઓ સાથે કરી છેતરપિંડી
આ ચેન્નાઇના ઠગે ગુજરાતના અડધા ડઝન IAS, IPS કક્ષાના અધિકારીઓનું કેવી રીતે કરી નાંખ્યું તેની મોડસ ઓપરેન્ડીની વિગતો ગુજરાત એક્સક્લૂઝિવને મળી છે. જાણવા મળ્યા મુજબ, સિક્સ પેક, સુઘડ વ્યક્તિત્વ અને સૌમ્ય ચહેરો ધરાવતો આ ઠગે કોઈપણ અધિકારી પાસે મૃદૂ સ્મિત સાથે મળતો અને પોતે ચેન્નાઇથી આવ્યા છે અને કરોડો રૂપિયાની કંપની ચલાવનાર બિઝનેસમેન છે. ચેન્નાઇ સરકાર સાથે પણ નજીકના સંબંધો ધરાવે છે, તેમજ દેશના અલગ-અલગ ભાગોમાં ભારત સરકાર સાથે અને દેશની અનેક મોટી કંપનીઓ સાથે કન્સોર્ટીયમ પાર્ટનર તરીકે કામ કરતાં હોવાનું ઉલ્લેખ કરતો હતો.
અધિકારીઓને પ્રભાવિત થતાં જોઈને આગળ જણાવતો કે, તે ચેન્નાઇથી આવ્યા છે પરંતુ તેમનું મૂળ વતન ગુજરાતનું રાજકોટ છે. તે રાજકોટના એક સમ્માનિત વ્હોરા સમાજના પરિવારમાંથી આવે છે. તેમના પિતા મુંબઇ સ્થિત વ્હોરા સમાજના મુખ્ય ધર્મગુરૂની સંસ્થામાં કાર્યકારી તરીકે જોડાયેલા હતા. જે સંસ્થાની વાર્ષિક આવક હજારો કરોડની છે. 2020-21ની તત્કાલિન સરકારનો વ્હોરા સમાજ સાથે સંબંધો સ્થાપિત કરવામાં તેના પરિવારે આગવી ભૂમિકા ભજવી છે. વ્હોરા સમાજ તેમજ સરકાર વચ્ચેનો સુત્રધાર તેમનો જ પરિવાર છે, તેવા ઉલ્લેખ કરતો હતો. તે ઉપરાંત રાજકોટના ઘણા રાજકીય પરિવારો સાથે તેમનો પારિવારિક સંબંધો હોવાનો ઉલ્લેખ કરીને અધિકારીઓને તેમના મહત્વપૂર્ણ કામ કઢાવી આપવાનો દાવો કરતો હતો.
આ પણ વાંચો: મિસ્ટર નટવર લાલ 2.0 : ચેન્નાઇના ઠગે ગુજરાતી અધિકારીઓનું ₹12 કરોડનું ફૂલેકુ ફેરવી નાંખ્યું
ચેન્નાઇનો આ ઠગ અધિકારીઓને પોતાના શિકંજામાં લેવા માટે તેમના મુખ્ય ધર્મ ગુરૂ સાથે પોતાનો સંબંધ દર્શાવે છે. તે ઉપરાંત રાજકીય નેતાઓ સાથે પારિવારિક સંબંધ ધરાવતો હોવાનો વિશ્વાસ બેસાડીને ગુજરાતના IAS, IPS અધિકારીઓને 12 કરોડ રૂપિયાનો ફૂલેકું ફેરવી નાંખ્યું છે. પરંતુ કોઈપણ અધિકારી આ ઠગના મુદ્દે મોઢૂ ખોલી શકે તેવી સ્થિતિમાં નહોવાના કારણે ચેન્નાઇનો આ ઠગ આવનાર દિવસોમાં વધુ અધિકારીઓ તેમજ સામાન્ય જનને પોતાનો શિકાર બનાવે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવાઇ રહી છે.
Advertisement