ગુજરાત એક્સક્લૂઝિવ: ચેન્નાઇ સ્થિત એક મોટી કંપનીના આગેવાન બનીને એક ઠગે ગુજરાતના અડધા ડઝન જેટલા IAS, IPS અને અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓને લગભગ રૂપિયા 12 કરોડ જેટલી ધરખમ રકમનો ચૂનો લગાડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. સુત્રો અનુસાર, ચેન્નાઇનો આ ઠગ મૂળ રાજકોટનો રહેવાસી છે અને વ્હોરા મુસ્લિમ સમુદાયના એક સુવ્યવસ્થિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
Advertisement
Advertisement
વ્હોરા સમાજથી આવતા આ ઠગે ગાંધીનગરથી લઈને અમદાવાદ સુધીના અડધા ડઝન જેટલા અધિકારીઓને પોતે ચેન્નાઇ સ્થિત એક મોટી કંપની સાથે જોડાયેલ હોવાનો દાવો કરીને તેમને વિશ્વાસમાં લીધા હતા. ઉલ્લેખનિય છે કે, વ્હોરા સમાજ એક શાંત પ્રિય અને વ્યાપારી સમાજ તરીકે છાપ ધરાવતું હોવાના કારણે આ ઠગ પર અધિકારીઓ દ્વારા ઝડપી વિશ્વાસ કરી લેવામાં આવ્યો. તે ઉપરાંત વ્હોરા સમાજના એક સન્માનિત પરિવાર સાથે સંબંધ ધરાવતા હોવાનું કારણ પણ કારણભૂત બન્યું.
મળતી માહિતી મુજબ સરકારનું એક સેંકડો કરોડનું ટેન્ડર બે વર્ષ પહેલા બહાર પડ્યું હતુ. જે ટેન્ડર મેળવવા માટે દેશ-દુનિયાની મોટી-મોટી કંપનીઓએ ભાગ લીધો હતો. ચેન્નાઇની પણ એક મોટી કંપનીએ આ ટેન્ડર ભર્યું હતું, જેના લાઇજનિંગ માટે વ્હોરા સમાજથી આવતા આ ઠગે જવાબદારી ઉપાડી હતી. સૌથી પહેલા તેને ચેન્નાઇની તે મોટી કંપની સાથે ટેન્ડર અપાવવાની શરતે ભાગીદારી કરી હતી. તે પછી ટેન્ડર લેવા માટે અમદાવાદ-ગાંધીનગરમાં અલગ-અલગ સ્તરે વહીવટ કરવાની વાત કરી હતી. તેમજ ઘણા લોકો પાસેથી અલગ-અલગ રીતે પોતાના કામ કઢાવ્યા હતા. તે લોકોના પેમેન્ટ પણ ચાઉં કરી ગયો છે. હવે જ્યારે ટેન્ડર મળી ગયું તે પછી ચેન્નાઇનો આ મિસ્ટર નટવરલાલ મિસ્ટર ઇન્ડિયા બની ગયો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં AAPની સરકાર બનતા જ પાંચ પાક પર MSP આપીશુ, 12 કલાક વીજળી આપીશુ- કેજરીવાલ
ચેન્નાઇથી આવેલ આ ઠગનું મૂળવતન રાજકોટ છે અને તે કારણે 2020-21ની તત્કાલિન સરકાર સાથે પણ ઘરોબો ધરાવતો હોવાનો દાવો પણ કરતો હતો. તે સિવાય બીજા ગુજરાતી નેતાઓ અને અમલદારશાહો સાથે પણ સંબંધો હોવાનો ઉલ્લેખ કરતો હતો.
એક મોટી કંપની, એક સન્માનિત પરિવાર અને તત્કાલિન સરકાર સાથે નજીકના સંબંધ. આ ત્રણ બાબતોનો ઉપયોગ કરીને તેને પોતાની ઠગાઇને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું અને અડધા ડઝન જેટલા બાબુઓને પોતાના શિકાર બનાવ્યા હોવાનો અહેવાલ મળી રહ્યો છે.
Advertisement