દિલ્હી: આ વખતે જી-20 સમિટ ભારતની રાજધાની નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. આ સમિટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. હવે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે આ બંને નેતાઓની ગેરહાજરી અંગે પ્રતિક્રિયા આપી છે.
Advertisement
Advertisement
વિદેશ મંત્રી એસ જયશંકરે શું કહ્યું ?
વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યૂઝ એજન્સી ANI સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે મને લાગે છે કે જી 20માં અલગ-અલગ સમયે કેટલાક રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન એવા રહ્યા છે જેમણે કોઈક કારણસર ન આવવાનો નિર્ણય લીધો છે. પરંતુ તે પ્રસંગે જે તે દેશનો પ્રતિનિધિ હોય છે તે પોતાના દેશ અને તેની પરિસ્થિતિને સામે રાખે છે. મને લાગે છે કે દરેક વ્યક્તિ તેના પર ખૂબ જ ગંભીરતા સાથે આવી રહ્યું છે.
જિનપિંગ હાજર નહીં રહે, તેમની જગ્યાએ ચીનના પીએમ ભાગ લેશે
મળતી માહિતી મુજબ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં યોજાનારી જી 20 સમિટમાં ભાગ લેશે નહીં. પરંતુ તેમના સ્થાને ચીનના વડાપ્રધાન લી કિઆંગ ભાગ લેશે. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ બેઠકમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. તેમના સ્થાને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ હાજર રહેશે.
જી 20 નેતાઓમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની આલ્બાનીઝ, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસિયો લુલા ડી સિલ્વા સહિત અન્ય નેતાઓ હાજરી આપશે. આ સાથે જ અન્ય ઘણાં દેશોને ભારતે અતિથિ તરીકે આમંત્રણ પાઠવ્યું છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બરે સમિટમાં બ્રાઝિલને જી 20ની અધ્યક્ષતા સોંપશે.
Advertisement