વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની તેમની સત્તાવાર રાજકીય મુલાકાતના પ્રથમ તબક્કામાં ન્યુયોર્ક પહોંચી ગયા છે. તેઓ તેમની મુલાકાત દરમિયાન સીઈઓ, નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યમીઓ, શિક્ષણવિદો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે મુલાકાત કરી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથકે યોગ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. પીએમ મોદીની મુલાકાતને લઈને અમેરિકાએ મહત્વનું નિવેદન જાહેર કર્યું છે.
Advertisement
Advertisement
વોશિંગ્ટન ડીસીમાં સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના એનએસસી કોઓર્ડિનેટર જ્હોન કિર્બીએ પીએમ મોદીના યુએસ આગમન પર વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, આ સત્તાવાર મુલાકાત ચીન અથવા રશિયા વિશે નથી, તે યુએસ-ભારતના દ્વિપક્ષીય સંબંધોના પાયાને સુધારવા માટેની છે. આ મુલાકાત પીએમ મોદી અથવા ભારત સરકાર પર કંઈક અલગ કરવા માટે જબરદસ્તી અથવા મજબૂર કરવા માટે નથી.
વધુમાં, તેમણે કહ્યું કે વ્હાઇટ હાઉસમાં આ એક મહત્ત્વનું સપ્તાહ છે. આ મુલાકાત અમારા બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનું પુનઃ સમર્થન કરશે અને અમારી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ લઈ જશે. ભારતીયો સાથે, અમે સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિશ્વાસ કરીએ છીએ, તેથી અમારા સંરક્ષણ સહયોગમાં સુધારો કરવાની જરૂર છે.
Advertisement