પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને આર્થિક સંકટની વચ્ચે ઈમરાન ખાનની પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પીપીપી પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ ઇમરાન સરકાર પર દેશદ્રોહનો આરોપ લગાવ્યો છે અને કહેવું છે કે ઈમરાને પાકિસ્તાની બંધારણની કલમ 6 હેઠળ દેશદ્રોહ કર્યો છે. જો કે ઇમરાનનો ગુનો દ્રેશદ્રોહ તરીકે સાબિત થાય એ પણ જરૂરી છે પરંતુ પાકિસ્તાની બંધારણ પ્રમાણે જો ઈમરાનનો ગુનો સાબિત થાય તો કાયમી કારાવાસ અથવા મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે.
Advertisement
Advertisement
એક ચેનલના અહેવાલમાં બતાવ્યા અનુસાર કોઈપણ વ્યક્તિ જે બંધારણને રદ કરે છે, તેની સાથે છેડછાડ કરે છે, ષડયંત્ર રચે છે, મુલતવી રાખે છે, તેને રોકવાનો પ્રયાસ કરે છે અથવા તેની વિરુદ્ધ બળનો ઉપયોગ કરે છે, તેને દેશદ્રોહી કહેવામાં આવશે. કલમ 6ની બીજી કલમ કહે છે કે જે વ્યક્તિ આવા કામમાં સહકાર આપે છે, પ્રોત્સાહન આપે છે અથવા મદદ કરે છે તે પણ રાજદ્રોહનો દોષી માનવામાં આવશે.
પાકિસ્તાનના બંધારણમાં દેશદ્રોહ અંગે પણ એવી વાત છે જે આશ્ચર્યજનક છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિ રાજદ્રોહની વ્યાખ્યામાં આવતી નથી. તેને રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો માનવામાં આવે છે. જેમાં સેનાને ઉશ્કેરવી, દુશ્મનો સાથે ષડયંત્ર રચવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
સૌપ્રથમ વખત 1973ના બંધારણમાં ‘રાજદ્રોહ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે 18મા સુધારા બાદ રાજદ્રોહનો ખ્યાલ બદલાઈ ગયો હતો. આમાં વધુ એક વાત ઉમેરવામાં આવી કે ‘બંધારણને સસ્પેન્ડ કરનાર કે અસ્થાયી રૂપે સ્થગિત કરનાર વ્યક્તિ અથવા આવી વ્યક્તિને સમર્થન આપનાર વ્યક્તિ દેશદ્રોહી ગણાશે’.
ઈમરાન ખાનની સાથે સંકળાયેલા લોકો પર પણ આ કલમના આધારે અટકાયત અને ધરપકડ થઈ શકે છે. હાલમાં પાકિસ્તાનનું વાતાવરણ દરેક રીતે તંગ છે. લોકોમાં આર્થિક તકલીફોના કારણે રોષ છે અને બીજી તરફ ઈમરાન ખાનની ધરપકડને કારણે વાતાવરણ વધું તણાવગ્રસ્ત બન્યું છે.
Advertisement