અમદાવાદ: ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનોને અસર થઈ છે. ગુજરાતમાં આવનારા ચક્રવાતને જોતાં પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલીક ટ્રેનોના રૂટને ટૂંકાવી દેવાયા છે. ઓખાથી દોડતી અનેક ટ્રેનોને માઠી અસર થઈ છે. રેલ્વેએ લગભગ 95 ટ્રેનો કેન્સલ કરી છે અથવા રૂટ ટૂંકાવવાનો નિર્ણય લીધો છે.
Advertisement
Advertisement
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાં આજે 56 ટ્રેનો રદ કરવામાં આવી છે અને બિપરજોયને કારણે આવતીકાલથી 15 જૂન સુધી 95 ટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેઓ સતત બિપરજોય પર નજર રાખી રહ્યા છે. તેમણે રેલવેના હેડક્વાર્ટર ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ બનાવ્યો છે. ભુજ, ગાંધીધામ, પોરબંદર અને ઓખા ખાતે ADRM તૈનાત કર્યા છે. મિશ્રાએ ઉમેર્યું કે આજે પોરબંદરમાં પવનની ઝડપ વધવાને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. આવતીકાલથી દરિયાકાંઠાના વિસ્તારોમાં જતી ટ્રેનો રદ કરવામાં આવશે.
૧૬ જૂન સુધી કચ્છ , સૌરાષ્ટ્ર તરફની ટ્રેનો રદ કે શોર્ટ ટમનેટ કરવામાં આવી છે. મુંબઈથી રવાના થનારી સયાજી નગરી અને કચ્છ એક્સપ્રેસ અમદાવાદ સુધી દોડશે. મોટા અંતરની રદ કરાયેલી ટ્રેનોમાં પોરબંદર-દાદર, વેરાવળ-ઇન્દોર, પોરબંદર-સિકંદરાબાદ, શાલિમાર-પોરબંદર, પોરબંદર-દિલ્હી-સરાય રોહિલ્લાને સાંકળતા રુટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આગામી ૧૩થી ૧૬ જૂન દરમિયાન અમદાવાદ-વેરાવળ અને વેરાવળ-અમદાવાદ ટ્રેન પણ રદ કરાઇ છે. તિરુનેવલી-ઓખા, તિરુવનંતપુરમ્ -વેરાવળને અમદાવાદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
આ ઉપરાંત, તેમણે કહ્યું કે ત્રણ RPF બટાલિયન અને મેડિકલ ટીમ મોકલવામાં આવી છે… વેરાવળ, પોરબંદર, ઓખા, દ્વારકા, ગાંધીધામ અને ભુજમાં આગામી 2-3 દિવસ સુધી ટ્રેનની અવર-જવર બંધ રહેશે.
Advertisement