ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને દેશના લોકો માટે એક માઠા સમાચાર છે. ઈસરોના એક વૈજ્ઞાનિક હવે રહ્યા નથી. ભારતના મૂન મિશન એટલે કે ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉનની ગણતરી કરતો અવાજ હંમેશ માટે શાંત થઈ ગયો છે. ઈસરોના વૈજ્ઞાનિક વલારામથીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
Advertisement
Advertisement
ઈસરોના વૈજ્ઞાનિકોમાં શોકનો માહોલ
કેટલીક જાણીતી હસ્તીઓ, રાજકારણીઓ, સ્ટાર્સ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીના અવાજ જીવનભર આપણા મગજમાં અકિત થયેલા રહે છે. આવો જ એક અવાજ ફીક્કો પડી ગયો. ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ સમયે પોતાના અનોખા અવાજ સાથે જાહેરાત કરનારા વલારામથીએ રવિવારે સાંજે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી છે. તેમના નિધનથી ઈસરોના વૈજ્ઞાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ શહેરમાં લીધા અંતિમ શ્વાસ
તમિળનાડુના અરિયાલુરના રહેવાસી વલારામથીનું રવિવારે સાંજે અવસાન થયું. રાજધાની ચેન્નાઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ વર્ષે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરેલા ચંદ્રયાન 3ને 14 જુલાઈએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણના સમયે કાઉન્ટડાઉન વખતે સંભળાયેલો અવાજ વલારામથીનો હતો.
સોશિયલ મીડિયા પર શોક
ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ પી.વી. વેંકટકૃષ્ણએ વલારામથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે શ્રીહરિકોટાથી ઈસરોના ભાવિ મિશનના કાઉન્ટડાઉનમાં હવે વલારામથીનો અવાજ સંભળાશે નહીં. ચંદ્રયાન-3 તેમનું અંતિમ કાઉન્ટડાઉન હતું. તેમણે કહ્યું કે વલરામથીના નિધનના સમાચારથી તેઓ ખૂબ જ દુખી છે. સાથે જ લોકો પણ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
Advertisement