ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને સોમવારે સવારે 8 વાગ્યે જમ્પ ટેસ્ટ બાદ સ્લીપ મોડ પર મૂકી દેવામાં આવ્યું હતું. ઈસરોએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે વિક્રમ લેન્ડરે એન્જિન શરૂ કર્યું અને અપેક્ષા મુજબ, પોતાને 40 સેમીથી ઊંચક્યું અને પછી ફરીથી 30-40 સેમીના અંતરે ઉતરાણ કર્યું.
Advertisement
Advertisement
ઈસરોએ આ પ્રક્રિયાને કિક-સ્ટાર્ટ ગણાવી છે. થોડા સમય માટે ઉડ્ડયન કરાવ્યા પછી વિક્રમ લેન્ડરનું એક નવા સ્થાને ઉતરાણ કરાવવામાં આવ્યું હતું, જ્યાં તેના તમામ પેલોડ્સ સાથે પ્રયોગ કરવામાં આવ્યા હતા. આ ડેટાને એકત્ર કરીને પૃથ્વી પર મેળવી લેવામાં આવ્યો છે. એજન્સીએ જમ્પ ટેસ્ટ પહેલા અને ટેસ્ટ પછીની તસવીરો પણ શેર કરી છે.
"Chandrayaan-3 Mission: Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment. On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away. Importance?: This 'kick-start'… pic.twitter.com/rDJJcmqbbJ
— ANI (@ANI) September 4, 2023
ઈસરોએ કહ્યું કે હવે વિક્રમ લેન્ડરના તમામ પેલોડને સ્વીચ ઓફ એટલે કે બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે, લેન્ડરના રીસીવર્સ ચાલુ રાખવામાં આવ્યા છે. એજન્સીએ કહ્યું કે એક વખત સૌર ઉર્જા વપરાઈ જાય અને બેટરી ખતમ થઈ જાય તે પછી વિક્રમ લેન્ડર પ્રજ્ઞાન રોવર પાસે જ રહેશે. ઈસરોએ આશા વ્યક્ત કરી કે બંને (લેન્ડર-રોવર) 22 સપ્ટેમ્બરે ફરી એકવાર કામ શરૂ કરી દેશે.
અગાઉ શનિવારે, સ્પેસ એજન્સી ઈસરોએ કહ્યું હતું કે પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને તેને હવે સુરક્ષિત રીતે પાર્ક કરી દેવામાં આવ્યું છે. પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં સેટ કરી દેવાયું છે.
આવો જાણીએ, 14 દિવસ પછી શું થશે?
રોવર અને લેન્ડરથી ઈસરોને જે માહિતી મળશે તે માત્ર 14 દિવસ માટે જ ઉપલબ્ધ રહેશે, કારણ કે આ સમયગાળા દરમિયાન જ ચંદ્રને સંપૂર્ણ પ્રકાશ મળશે. આ દિવસો દરમિયાન લેન્ડર અને રોવર સક્રિય રીતે ઈસરોને માહિતી મોકલશે. ખરેખર, 14 દિવસ પછી ચંદ્ર પર રાત પડી જશે. આ રાત માત્ર એક દિવસની નહીં પરંતુ 14 દિવસની હશે. રાત પડતાં જ અહીં ખૂબ ઠંડી રહેશે. વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર સૂર્યપ્રકાશમાં જ કામ કરી શકે છે, તેથી તેઓ 14 દિવસ પછી નિષ્ક્રિય થઈ જશે. ઈસરોના વૈજ્ઞાનિકોએ જો કે, ચંદ્ર પર ફરી સૂર્ય ઉગશે ત્યારે વિક્રમ અને પ્રજ્ઞાન ફરીથી કામ કરતા થશે તેવી શક્યતાને નકારી નથી.
Advertisement