આજે જારી કરવામાં આવેલા એક વીડિયોમાં, યુએસ સ્થિત પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના નિયુક્ત આતંકવાદી જી એસ પન્નુને વાનકુંવરમાં જૂન મહિનામાં અન્ય એક ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની કથિત હત્યા માટે ઉશ્કેરણી અને કાવતરું ઘડવા બદલ ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ જયશંકર અને કેનેડા ખાતેના ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માની વિદેશ મુલાકાત વિશે માહિતી આપનારને 125000 ડૉલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ વોન્ટેડ, પન્નુને શીખ કટ્ટરપંથીઓ સાથે ઈન્ટર-ગેંગ ઘર્ષણમાં માર્યા ગયેલા નિજ્જર માટે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ઉપરોક્ત નામોની વ્યક્તિઓને જવાબદાર ઠેરવવાની ધમકી આપી હતી. પન્નુ અમેરિકા અને કેનેડા બન્નેના પાસપોર્ટ ધરાવે છે.
SFJ એ કેનેડા સ્થિત શીખ કટ્ટરપંથીઓને આગામી 15 ઓગસ્ટના રોજ ઓટાવા, ટોરોન્ટો અને વાનકુવરમાં આવેલા ભારતીય રાજદ્વારી પરિસરોને ઘેરાવ કરવા અને 10 સપ્ટેમ્બરની વાનકુવરમાં કથિત શીખ જનમત માટે જાહેરાત પણ કરી છે.
જ્યારે કેનેડા સ્થિત ભારતીય રાજદ્વારીઓએ અમિત શાહ, એસ જયશંકર અને સંજય વર્માના માથે ઈનામની કરાયેલી જાહેરાતની ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓને જાણ કરી દીધી છે. ભારતના નજીકના સાથી યુએસ દ્વારા પન્નુન સામે કાર્યવાહી કરવામાં નિષ્ક્રિયતા પણ સવાલો ઉભા કરે તેવી છે. બંને દેશો વચ્ચે આતંકવાદના સામના માટે સહકાર સમજૂતી છયેલી છે.
પન્નુને ભલે આ ત્રણેની માહિતી માટે આ જાહેરાત કરી હોય. પરંતુ, હકીકત એ છે કે આગામી દિવસોમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ જયશંકર અને કેનેડા ખાતેના ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માને નિશાન બનાવવા માટે આતંકીઓની આ ખુલ્લી ધમકી છે.
Advertisement