ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ લખનઉમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. લખનઉ પોલીસે આજે આ અંગે જાણકારી આપી હતી. ‘112 ઈમરજન્સી’ પર એક મેસેજ દ્વારા આ ધમકી મળી હતી.
Advertisement
Advertisement
ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે “હું ટૂંક સમયમાં સીએમ યોગીને મારી નાખીશ”. ધમકી મળ્યા બાદ ‘112’ના ઓપરેશન કમાન્ડરે પોલીસ સ્ટેશન સુશાંત ગોલ્ફ સિટીમાં કેસ નોંધાવ્યો છે. આઈપીસી કલમ 506, 507 અને આઈટી એક્ટ 66 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Advertisement